Book Title: Vastu Vigyana sara
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Sangh

View full book text
Previous | Next

Page 112
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનની સ્વાધીનતા ને અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા માન્યું છે એટલે નિમિત્તનું લક્ષ તેને રહ્યા કરે છે અને સ્વતંત્ર જ્ઞાનના પ્રત્યક્ષપણાની શ્રદ્ધા તેને બેસતી નથી. ‘મારું વર્તમાન જ્ઞાન મારાથી થાય છે, મારી શક્તિપૂર્ણ છે અને એ પૂર્ણ શક્તિના આશ્રયે પુરુષાર્થથી પૂર્ણ જ્ઞાન પ્રગટે છે' એમ જ્ઞાનીને પ્રતીત છે. જે જ્ઞાનના અંશે જ્ઞાનસ્વભાવની પ્રતીત કરી તે જ્ઞાન કેવળજ્ઞાનને પ્રત્યક્ષ કરતું જ પ્રગટયુ છે એટલે વચ્ચે જે બાકી છે– ભેદ પડે છે-તે ટળીને જ્ઞાન પૂર્ણ જ થવાનું છે. આ રીતે સામાન્ય જ્ઞાનસ્વભાવની પ્રતીત કરતાં વર્ણને લક્ષમાં લેતું જે વિશેષ જ્ઞાન પ્રગટયું તે વચલા ભેદને (મતિ અને કેવળજ્ઞાન વચ્ચેના ભેદને ) ઉડાડી દેતું, પૂર્ણ સાથે જ અભેદપણું કરતું પ્રગટયું છે. વચમાં એકે ભવ જ નથી. અવતાર પણ કોને છે? વર્તમાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે એવા જોરમાં, વચ્ચે એકાદ ભવ છે તેનો આચાર્યે નકાર કર્યો છે. આચાર્યદેવે અતૂટપણે કેવળજ્ઞાનની જ વાત કરી છે આ વાત જેને બેસે તેને ભવ હોય જ નહિ..... *** ૧૦૫ Please inform us of any errors on [email protected]

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114