________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
—
—
—–
૯૮
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા -------
સામાન્ય સ્વભાવની પ્રતીત કરતું વર્તમાન નિર્મળ સ્વાવલંબી જ્ઞાન પ્રગટયું તે સાધક છે, અને તે પુર્ણ સાધ્યરૂપ કેવળજ્ઞાનને પ્રત્યક્ષ જાણતું પ્રગટ થાય છે; તે સાધકજ્ઞાન સ્વાધીનપણે પોતાના કારણે અંતરના સામાન્ય જ્ઞાનની શક્તિના લક્ષે વિશેષ-વિશેષરૂપે પરિણમતાં પરિણમતાં સાધ્ય કેવળજ્ઞાનપણે પ્રગટ થાય છે. તેમાં કોઈ બહારનું અવલંબન નથી. પણ સામાન્ય જ્ઞાન સ્વભાવનું જ અવલંબન છે. આ જાણવું તે જ ધર્મ છે. આત્માનો ધર્મ આત્મા પાસે જ છે. અશુભ ભાવથી બચવા શુભ ભાવ થાય તેને જ્ઞાન જાણી લે છે પણ તેનું અવલંબન જ્ઞાન માનતું નથી. એટલે સર્વ નિમિત્ત વગરના પૂર્ણ સ્વાધીન કેવળજ્ઞાનનો નિર્ણય કરતું અને પ્રતીતમાં લેતું સ્વાશ્રિત મતિજ્ઞાન સામાન્ય સ્વભાવના અવલંબને પ્રગટ થાય છે. આ રીતે જ્ઞાનનું કાર્ય પરાવલંબન વડે થતું નથી પણ સ્વાધીન સ્વભાવને અવલંબીને થાય એમાં જ્ઞાનની સ્વતંત્રતા બતાવી.
જ્ઞાનની જેમ શ્રદ્ધાની સ્વતંત્રતા આત્મામાં શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે. સામાન્ય શ્રદ્ધા ગુણનું વિશેષ તે સમ્યગ્દર્શન છે. શ્રદ્ધા ગુણનું વર્તમાન જો દેવગુરુશાસ્ત્ર વગેરે પરના આશ્રયે પરિણમે તો તે વખતે શ્રદ્ધા ગુણે શું વિશેષ કાર્ય કર્યું? શ્રદ્ધા તે સામાન્ય ગુણ છે તેનું વિશેષ તે સામાન્યના અવલંબને જ હોય. સમ્યગ્દર્શનરૂપ વિશેષ પરનાં અવલંબને કાર્ય કરતું નથી પણ સામાન્ય શ્રદ્ધાના અવલંબને જ તેનું વિશેષ પ્રગટવું થાય છે, સમ્યગ્દર્શન તે શ્રદ્ધા ગુણની વિશેષ દશા છે. શ્રદ્ધા ગુણ છે અને સમ્યગ્દર્શન પર્યાય છે. શ્રદ્ધાગુણના અવલંબને સમ્યક દર્શનરૂપ વિશેષ દશા પ્રગટ થાય છે. જો દેવગુરુ-શાસ્ત્ર વગેરે પરના અવલંબને શ્રધ્ધાનું વિશેષ કાર્ય થતું હોય તો સામાન્ય શ્રધ્ધાનું તે વખતે વિશેષ શું? વિશેષ વગર તો કોઈ વખતે સામાન્ય હોય નહિ. આત્માની શ્રધ્ધાની વર્તમાન અવસ્થારૂપ કાર્ય ત્રિકાળી શ્રધ્ધા નામના ગુણનું છે, તે કાર્ય કોઈ પરના અવલંબને નથી; પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com