________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
પર્યાયનો નથી માનતો તે સર્વજ્ઞતાને માનતો નથી, અને જે સર્વજ્ઞતા ને માનતો નથી તે આત્મજ્ઞ હોઈ શકે નહિ.
આત્માના સંપુર્ણ જ્ઞાનસામર્થ્યમાં બધી વસ્તુઓના ત્રણે કાળના પર્યાયો જેમ થવાના છે તેમ જણાય છે અને જેમ જણાય છે તે જ પ્રમાણે થાય છે-આવી જેણે પ્રતીત કરી તેણે ક્રમબદ્ધ પર્યાયની અને સર્વશના સામર્થ્યની પ્રતીત થઈ અને તે આત્મજ્ઞ થયો; આત્મજ્ઞ જીવ સર્વજ્ઞ થાય જ
વસ્તુમાં દરેક ગુણનો પર્યાય પ્રવાહબદ્ધ ચાલી જ રહ્યો છે. એક તરફ સર્વજ્ઞનું કેવળજ્ઞાન પરિણમી રહ્યું છે, બીજી તરફ જગતના સર્વ દ્રવ્યોના પર્યાય પોતપોતામાં ક્રમબદ્ધ પરિણમી રહ્યાં છે. અહો ! આમાં એકબીજાનું શું કરી શકે? બધાં દ્રવ્યો પોતપોતામાં જ પરિણમી રહ્યા છે, બસ! આ પ્રતીત કરતાં જ્ઞાન જુદું જ રહી ગયું, બધામાં થી રાગ-દ્વેષ ઊડી ગયો અને એકલું જ્ઞાન રહી ગયું, આ જ કેવળજ્ઞાન !
પરમાર્થથી નિમિત્ત વગર કાર્ય થાય છે, વિકારપણે કે શુધ્ધતાપણે જીવ પોતે જ સ્વપર્યાયમાં પરિણમે છે અને તે પરિણમનમાં નિમિત્તની તો નાસ્તિ છે. કર્મ અને આત્માનું ભેગું પરિણમન થઈને વિકાર થતો નથી. એક વસ્તુના પરિણમન વખતે પરવસ્તુની હાજરી હોય તેથી શું? પરવસ્તુનું અને સ્વવસ્તુનું પરિણમન તો તદન જુદું જ છે, તેથી જીવનો પર્યાય નિમિત્ત વગર પોતાથી જ થાય છે, નિમિત્ત કાંઈ જીવના રાગદ્વેષાદિ પર્યાયમાં પેસી જતું નથી. માટે નિમિત્ત વગર જ થાય છે. નિમિત્તની હાજરી હોય છે તે તો જ્ઞાન કરવા માટે છે; જ્ઞાનસામર્થ્ય હોવાથી જીવ નિમિત્તને જાણે છે ખરો, પરંતુ નિમિત્તના કારણે ઉપાદાનમાં કંઈ પણ થતું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com