Book Title: Vastu Vigyana sara
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Sangh

View full book text
Previous | Next

Page 45
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 27. ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા - - -- - - -- - - -- લાયકાતથી જ જ્ઞાન થાય છે, નિમિત્તથી જ્ઞાન થતું નથી. જે વખતે આત્માના પર્યાયમાં પુરુષાર્થ દ્વારા સમ્યજ્ઞાન પ્રગટ કરવાની લાયકાત હોય અને આત્મા સમ્યજ્ઞાન પ્રગટ કરે તે વખતે ગુરુને નિમિત્ત કહેવાય છે, પણ ગુરુના નિમિત્તથી જ્ઞાન થયું નથી. જ્યારે જીવમાં પ્રથમ સમ્યજ્ઞાનનો પુરુષાર્થ હોય ત્યારે ગુરુની વાણીમાં જોગવાઈ હોય જ. પણ જ્યાં સુધી તે વાણી ઉપર જીવનું લક્ષ છે ત્યાં સુધી રાગ છે, અને જ્યારે વાણીનું લક્ષ છોડીને સ્વભાવનો નિર્ણય કરે છે ત્યારે તે નિર્ણયમાં ગુરુને નિમિત્ત કહેવાય છે. અને જીવને ગુરુના બહુમાનનો વિકલ્પ ઊઠે ત્યારે તે એમ પણ કહે કે, મને ગુરુથી જ્ઞાન થયું. ૩. “ગુરુથી જ્ઞાન થયું” એમ કહેવું તે કપટ નથી, પણ વ્યવહાર છે. પ્રશ્ન:- જ્ઞાન તો પોતાથી જ થયું છે, ગુરુથી થયું નથી એમ જાણે છે. છતાં ગુરુથી જ્ઞાન થયું એમ કહેવું તે કપટ ન કહેવાય? ઉત્તર:- વ્યવહારમાં એમ જ બોલાય. એ કપટ નથી પણ યથાર્થ સિદ્ધાંત છે. ગુરુના બહુમાનનો શુભ વિકલ્પ ઊઠયો છે તેથી નિમિત્તમાં આરોપ અપાય છે. પ્રશ્ન:- ગુરુના બહુમાનનો વિકલ્પ ઊઠે તે તો બરાબર છે પણ ગુથી જ્ઞાન થયું' એમ શા માટે કહે છે? ઉત્તર:- બહુમાનનો વિકલ્પ ઊઠયો છે તેથી નિમિત્તમાં આરોપ કરીને વ્યવહારે તેમ કહેવાય છે. આરોપની ભાષા એવી જ હોય. પણ ખરેખર ગુરુથી જ્ઞાન થયું છે એમ નથી અથવા તો ગુરુ ન હોત તો જ્ઞાન ન થાત એમ પણ નથી. પોતે પુરુષાર્થથી જ્યારે જ્ઞાન કરે છે ત્યારે ગુરુ નિમિત્ત તરીકે ગણાય છે. એ સિદ્ધાંત છે. ૪. માટીમાં ઘડારૂપ પર્યાય થવાની લાયકાત કાયમની નથી પણ એક સમયની જ છે. માટીમાંથી ઘડો થયો છે, તે તેના વર્તમાન પર્યાયની તે સમયની લાયકાતથી જ થયો છે, કુંભારના કારણે થયો નથી. કોઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114