Book Title: Vastu Vigyana sara
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Sangh

View full book text
Previous | Next

Page 87
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા - શુભ રાગમાં વીર્યનું જે વજન છે તે જો ઉપાડીને સ્વભાવ તરફ ઢાળે તો વ્યવહારનો પક્ષ છૂટે. આત્માના સ્વભાવમાં વિકાર નથી. વિકાર ક્ષણિક છે. અને પર પદાર્થો જુદા છે એમ તો ખ્યાલમાં લીધું એટલે (૧) શરીર વગેરે પરવસ્તુ તો હું નહિ એમ જ્ઞાનમાં ધાર્યું. (૨) કર્મ જડ છે તે આત્માથી જુદા છે એમ શાસ્ત્રથી ખ્યાલમાં લીધું અને, (૩) અશુભ ભાવ થાય તેને અવસ્થાના લક્ષમાં રહી-રહીને ફેરવ્યો. અવસ્થી દષ્ટિમાં જ રહી-રહીને અવસ્થામાં અશુભને ફેરવીને શુભ કર્યા. શુભ ભાવ, અશુભ ભાવ અને શુભાશુભરહિત આત્મસ્વભાવ તેને ખ્યાલમાં તો લીધા તેમ જ અશુભ થાય છે તને આત્મવીર્ય વડે છોડીને શુભ કર્યા પરંતુ સ્વભાવ તરફ પુરુષાર્થનું જોર જવું જોઈએ. તેને બદલે, વર્તમાન શુભ ઉપર જ તેનું પુરુષાર્થનું વજન અટકી રહ્યું. તેથી નિશ્ચયનો આશ્રય થયો નહિ અને વ્યવહારનો પક્ષ ગયો નહિ. જીવને જ્ઞાનમાં પરવસ્તુઓ, શુભ તેમ અશુભ કોને કહેવાં તે અને શુભાશુભથી રહિત સ્વભાવ છે તે ખ્યાલમાં આવવા છતાં વીર્ય નું વજન તે શુભ તરફથી છૂટીને સ્વભાવના જોર તરફ ન જાય તો તે જીવને નિશ્ચયનો વિષય જે સ્વભાવ તે રુચિકર થયો નથી. એટલે તેનું વીર્ય સ્વભાવ તરફ જતું નથી, પણ વ્યવહારમાં જ અટક્યું છે. અશુભમાંથી શુભ ભાવ કરવો તેમાં વીર્ય વર્તમાન પુરતું છે, અને શુભ-અશુભ રહિત સ્વભાવની રુચિના વીર્યનું ત્રિકાળી જોર છે. સ્વભાવની રચિના ત્રિકાળી જોરમાં શુભના વલણમાંથી વીર્ય છૂટીને સ્વભાવના માહાભ્યમાં વીર્યનું જોર આવતાં, ત્રિકાળીની દષ્ટિથી સહજ જ વર્તમાન પુરતા વ્યવહારનો નિષેધ થઈ જાય છે. નિષેધ કરું એવો વિકલ્પ હોતો નથી. આ રીતે નિશ્ચયનય વ્યવહારનયનો નિષેધ કરે છે. જાણવામાં “રાગ મારું સ્વરૂપ નથી' એમ વ્યવહારનો નિષેધ તે પણ રાગ છે. હું જીવ છું” વિકાર મારું સ્વરૂપ નથી એ પ્રકારે નવ તત્ત્વાદિકના વિચારના વર્તમાન પુરતા ભાવ ઉપર જો વીર્યનું વજન અટકે, પરંતુ સ્વભાવથી પરાંમુખ વલણથી છૂટીને અંતર સ્વભાવમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114