Book Title: Vastu Vigyana sara
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Sangh

View full book text
Previous | Next

Page 91
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪ ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા - - - - -- - - -- એકાગ્ર કરવું જોઈએ. જો નિશ્ચયસ્વભાવ તરફના જોરમાં અને રુચિમાં વીર્યને ન જોડે તો તે વીર્ય વ્યવહારના પક્ષમાં જોડાય છે એટલે તેને વ્યહારનો સૂક્ષ્મ પક્ષ છૂટતો નથી. જ્યારે વ્યવહારના પક્ષથી છૂટીને વીર્યમાં જ્ઞાયક સ્વભાવનું વજન કર્યું ત્યારે પણ વ્યવહારનું જ્ઞાન તો (ગૌણપણે) રહે છે, કાંઈ જ્ઞાન છૂટી જતું નથી. કેમકે તે તો સમ્યજ્ઞાનનો અંશ છે. વ્યવહારનું જ્ઞાન છૂટીને નિશ્ચયથી દષ્ટિ થતી નથી, સમ્યગ્દર્શન થતાં વ્યવહારનું જ્ઞાન તો રહ્યું છે પરંતુ દષ્ટિ તેના ઉપરથી ઊઠીને સ્વભાવ તરફ એકાગ્ર થઈ છે. આ રીતે, અનિશ્ચયના આશ્રય વખતે વ્યવહારનો પક્ષ છૂટી જતો હોવા છતાં, જ્ઞાન તો સમ્યજ્ઞાનરૂપ અનેકાંત જ રહે છે, પરંતુ જ્ઞાન જ્યારે સર્વથા વ્યવહાર તરફ ઢળે છે ત્યારે નિશ્ચયનયનો આશ્રય જરા પણ નહિ હોવાથી તે વ્યવહારના પક્ષવાળું જ્ઞાન મિથ્યારૂપ એકાંત છે. સમ્યગ્દર્શન થયા પછી નિશ્ચયનો આશ્રય થયો હોવા છતાં, જ્યાં સુધી અપૂર્ણ ભૂમિકા છે ત્યાં સુધી વ્યવહાર રહે છે ખરો પરંતુ નિશ્ચયનયાશ્રિત જીવને તે તરફ આસકિત નથી, વીર્યનું જોર વ્યવહાર તરફ ઢળતું નથી. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની ઓળખાણ, નવ તત્ત્વનું જ્ઞાન, બ્રહ્મચર્ય નું પાલન, પૂજા, વ્રત, તપ, ભક્તિ વગેરે કરવા છતાં જીવને મિથ્યાત્વ કેમ રહી જાય છે? કેમ કે જીવ આ વર્તમાન પરિણામ જ હું છું અને તેનાથી જ મને લાભ છે” એમ વર્તમાન ઉપર જ લક્ષને ટકાવીને ત્યાં અટકી ગયો. પરંતુ ત્રિકાળી એકરૂપ નિરપેક્ષ સ્વભાવ તરફ ન વળ્યો તેથી જ મિથ્યાત્વ રહી ગયું છે. જો જીવ વર્તમાન ઉપરના લક્ષને છોડીને ત્રિકાળી સ્વભાવને લક્ષમાં લે તો તે સમ્યગ્દષ્ટિ થાય. કેમકે સમ્યગ્દર્શનનો આધાર (આશ્રયભૂત) ત્રિકાળી સ્વભાવ છે. વર્તમાન વર્તતા પર્યાય આધારે સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી. નિશ્ચય-અખંડ અભેદ સ્વભાવ તરફ ઢળતાં વચ્ચે જે વિકલ્પાદિરૂપ વ્યવહાર આવે તેને માટે ખેદ જોઈએ. એને બદલે તેની Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114