Book Title: Vastu Vigyana sara
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Sangh

View full book text
Previous | Next

Page 92
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વ્યવહારનયના પક્ષનું સૂક્ષ્મ સ્વરૂપ ૮૫ = = = = = = = = =' જે હોંશ કરે છે તેને સ્વભાવનો આદર ટળી જાય છે એટલે તે મિથ્યાત્વી જ રહે છે. નિશ્ચયસ્વભાવ તરફના વીર્યનો ઉલ્લાસ થવાને બદલે વ્યવહારમાં જેનું વીર્ય ઉલ્લસિત થાય છે. તેને સ્વભાવ તરફનું ઉલ્લસિતપણું પરાવલંબને પડ્યું છે તેથી જીવને વ્યવહારનો પક્ષ ખસતો નથી. વ્યવહારની રુચિવાળો જીવ ભગવાનના દિવ્ય ધ્વનિનો ઉપદેશ સાંભળીને તેમાંથી પણ વ્યહારની જ સચિને પોષે છે, “ભગવાનની વાણીમાં નિશ્ચય સ્વભાવનો અને વ્યવહારનો બંનેનો મેળ કર્યો અર્થાત્ બંને નયોને સરખી હદે રાખ્યા” એમ માનીને તે અજ્ઞાની જીવ પોતાની વ્યવહારની પક્કડને દઢ કરે છે. પરંતુ ભગવાનની વાણી તો નિશ્ચયનો આશ્રય કરીને વ્યવહારનો નિષેધ કરવાનું કહે છે, એ રીતે નિશ્ચયનય અને વ્યવહારનય એ બંનેનો દુમેળ (પરસ્પર વિરોધ) વર્તે છે તેને તે જાણતો નથી, રુચિ કરતો નથી અને વ્યવહારનયનો નિષેધ કરીને નિશ્ચયમાં વીર્યને ઉલ્લસિત કરતો નથી. નિશ્ચયના આશ્રયનો ઉલ્લાસ નહિ હોવાથી વચ્ચે વ્યવહાર આવે છે, તેનો ખેદ કરવાને બદલે, “વ્યવહાર વચ્ચે આવે છે તો ખરોને? એમ વ્યવહારની ઊંડી સૂક્ષ્મ મીઠાશ મિથ્યાદષ્ટિ ન રહે છે, તેથી પોતાના સ્વભાવમાં ઉલ્લાસ લાવીને તે સમ્યગ્દષ્ટિ થઈ શકતો નથી. પ્રશ્ન- આમાં એકાંત નિશ્ચય નથી થઈ જતો? ઉત્તર- ના આમાં જ સાચો અનેકાન્ત છે. નિશ્ચય સ્વભાવને અને રાગને બંનેને જાણીને જ્યારે વીર્યના જોરને નિશ્ચયસ્વભાવમાં લાવવું છે ત્યારે જ્ઞાનમાં ગૌણપણે ખ્યાલ તો છે કે અવસ્થામાં વિકાર થાય છે, સ્વભાવમાં ઢળનાર જીવ અવસ્થાથી પોતાને કેવળજ્ઞાની માનતા નથી. આ રીતે જ્ઞાનમાં નિશ્ચય વ્યવહાર બંનેને જાણીને નિશ્ચયનો આશ્રય અને વ્યવહારનો નિષેધ કર્યો તે જ અનેકાંતપણું થયું. બંને પક્ષ જાણીને એકમાં આરૂઢ થયો, બીજામાં અનારૂઢ થયો એટલે કે નિશ્ચયમાં ઢળ્યો અને વ્યવહારને છોડયો, તે અનેકાંત છે. પરંતુ નિશ્ચય Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114