________________
७८
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કાનજૈનશાસ્ત્રમાળા
થાય છે. આત્મા તેનો ખરેખ૨ કર્તા નથી, એમ જ્ઞાનીઓ જ શરીરની ક્રિયાને જેમ છે તેમ સ્થાપે છે.
૨. પુણ્ય ક્રિયા તે જીવનો વિકાર ભાવ છે, તે ક્રિયાથી આત્માનો અવિકારી ધર્મ પ્રગટે નહિ તેમ જ તે ક્રિયા ધર્મમાં મદદ કરે નહિ. એમ જ્ઞાનીઓ જ પુણ્ય ક્રિયાને પુણ્યની ક્રિયા તરીકે સ્થાપે છે.
૩. આત્માની અવિકારી ક્રિયા તે ધર્મ છે, તે ક્રિયા આત્માના અવલંબને પ્રગટે છે, તેમાં કોઈ બીજાનું અવલંબન નથી તેમ જ પુણ્યની ક્રિયાથી તે અવિકારી ક્રિયા પ્રગટી નથી. એમ જ્ઞાનીઓ જ અવિકારી ક્રિયાને બરાબર સ્થાપે છે.
૧. શરીરની ક્રિયા આત્માથી થાય છે, પણ એની મેળે સ્વતંત્ર ક્રિયાને ઉત્થાપે છે. કેમકે તેઓ પુદ્ગલ પરમાણુઓની સ્વતંત્ર ક્રિયાને સ્થાપતા નથી.
૨. પુણ્ય-ક્રિયા અર્થાત્ શુભરાગરૂપ વિકારી ક્રિયાથી ધર્મ થાય અથવા તો તે કરતાં કરતાં ધર્મ થાય એમ માનીને અજ્ઞાનીઓ જ પુણ્યની ક્રિયાને ઉત્થાપે છે. કેમ કે પુણ્ય તે વિકારી ક્રિયા છે, છતાં તેઓ વિકારી ક્રિયાને વિકારી ક્રિયા તરીકે સ્થાપતા નથી.
૩. આત્માની અવિકારી ક્રિયા પુણ્ય કરતાં કરતાં થાય અથવા તો કંઈક પરાવલંબન જોઈએ- એમ માનીને અજ્ઞાનીઓ જ અવિકારી ક્રિયાને ઉત્થાપે છે. કેમકે પુણ્યની અપેક્ષા રહિત નિરાવલંબી અવિકારી ક્રિયા છે તેને તેઓ સ્થાપતા નથી.
***
Please inform us of any errors on rajesh@AtmaDharma.com