________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
––––
ક્રિયા? જડની ક્રિયા કે ચેતનની ક્રિયા? અને વિકારી ક્રિયા કે અવિકારી ક્રિયા? જડની ક્રિયા, વિકારી ક્રિયા અને અવિકારી ક્રિયા તેના સ્વરૂપનું જેને ભાન નથી તે ધર્મની ક્રિયા ક્યાંથી કરશે ?
મુક્તિની કિયામાં પર સાથે તો સંબંધ નથી અને પર તરફના વલણથી જે ભાવ થાય તેની સાથે પણ સંબંધ નથી. મુક્તિની ક્રિયામાં પર ઉપર કે વિકાર ઉપર દષ્ટિ ન હોય પરંતુ પરથી અને વિકારથી ભિન્ન પોતાના અસંયોગી, અવિકારી, ત્રિકાળ સ્વભાવ ઉપર દૃષ્ટિ હોય છે. વિકારી ક્રિયા તે પણ આત્માની વર્તમાન દશા છે અને અવિકારી ક્રિયા તે પણ આત્માની વર્તમાન દશા છે. આત્માની જે વર્તમાન દશા સ્વભાવ સાથેનું એકત્વ ચૂકીને પર લક્ષમાં અને પુણ્ય-પાપમાં અટકે છે તે જ વિકારી ક્રિયા છે, તે સંસાર છે, મોક્ષની ઘાતક છે, સુખની ટાળનાર છે અને દુઃખની દાતાર છે અને આત્માની જે વર્તમાન દશા પર લક્ષથી ખસીને સ્વલક્ષે પોતાના ત્રિકાળી સ્વભાવની શ્રદ્ધા-જ્ઞાન-સ્થિરતામાં ટકે છે તે જ અવિકારી ક્રિયા છે. તે ધર્મ છે, તે મોક્ષની ઉત્પાદક છે અને સંસારની ઘાતક છે, સુખની દાતાર છે અને દુઃખની ટાળનાર છે.
વિકારી ક્રિયા કે અવિકારી ક્રિયા એ બંને એક સમય પૂરતી જીવની અવસ્થા છે, પરંતુ તે બંનેના લક્ષ્યમાં ફેર છે. અવિકારી ક્રિયાનું લક્ષ્ય ત્રિકાળી શુદ્ધ સ્વભાવ છે અને વિકારી ક્રિયાનું લક્ષ્ય પરદ્રવ્ય અને પુણ્યપાપ છે. જડનું કરવાની વાત તો બેમાંથી એકે ક્રિયામાં નથી. જડની ક્રિયા તો આ બંનેથી જુદી-સ્વતંત્ર છે. તેનાથી નથી બંધન કે નથી મુક્તિ.
મોક્ષ કોના લક્ષે થાય? અથવા ત્રણ પ્રકારની ક્રિયામાંથી કઈ ક્રિયાથી મોક્ષ થાય? શું જડના લક્ષે મોક્ષ થાય? કે પુણ્ય-પાપના લક્ષે મોક્ષ થાય? પર દ્રવ્યનું છોડવા-મૂકવાનું તો આત્મામાં નથી તેથી તેના લક્ષે પણ મોક્ષ થાય નહિ. જે પુણ્ય-પાપ થાય તે પણ પર લક્ષે થતાં હોવાથી વિકાર છે. તેના લક્ષે મોક્ષ થાય નહિ. એટલે કે જડની ક્રિયાથી મોક્ષ થાય નહિ. જડની ક્રિયાનો બાહ્ય સંયોગ હોવા છતાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com