________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ક્રિયા
૭પ
પ્રદેશોની ક્ષેત્રાંતરરૂપ ક્રિયા અને શુભરાગરૂપ વિકારી ક્રિયા એ બધાથી આ ધર્મની ક્રિયા ભિન્ન છે.
આ જ રીતે, કોઈ જીવન પૈસા કમાવા વગેરેની અશુભ ભાવના થઈ અને શરીરની ક્રિયા પાપ કાર્યોમાં થઈ તો ત્યાં પણ શરીરની ક્રિયા તે જડની સ્વતંત્ર ક્રિયા છે. તેનાથી જીવને લાભ કે નુકશાન નથી; અને અશુભ ભાવ થયા તે જીવની વિકારી ક્રિયા છે. તેનાથી જીવને નુકશાન છે. અશુભ ભાવને કારણે પણ શરીરની ક્રિયા થતી નથી.
- અશુભ પરિણામથી પાપ, શુભ પરિણામથી પુણ્ય, એ બંનેનો સમાવેશ વિકારી ક્રિયામાં થાય છે અને એ બંને વખતે શરીરની ક્રિયા તે સ્વતંત્ર જડની ક્રિયા છે. મારા પરિણામને કારણે જડની ક્રિયા થઈ એમ માને તો ખોટું છે. અને પુણ્ય પરિણામને કારણે ધર્મની ક્રિયા થઈ એમ માને તો પણ ખોટું છે.
શરીર ધર્મસ્થાનકે બે ઘડી સ્થિર બેઠું તે જડની ક્રિયા છે. તે વખતે અંતરંગમાં જો શુભ પરિણામ હોય તો પુણ્ય છે, અને જો તે વખતે ઘર વગેરે સંબંધી અશુભ વિચાર કરતો હોય તો પાપ છે. પુણ્ય-પાપ બંને વિકાર તેનાથી ધર્મ નથી–એવું જો તે વખતે આત્મભાન વર્તતું હોય તો તેટલે અંશે અવિકારી ધર્મક્રિયા છે. તે મોક્ષની ઉત્પત્તિ કરનારી ક્રિયા છે. કોઈ જીવે અશુભ પરિણામ તો છોડયાં અને જિનેન્દ્રદેવ, નિગ્રંથ ગુરુ અને સલ્ફાસ્ત્રના લક્ષે શુભરાગ કર્યો અને તેમાં ધર્મ માન્યો તો તે જીવ એકાંત બંધનની ક્રિયા જ કરી રહ્યો છે, તેને અધર્મ ક્રિયા જ વર્તે છે, પછી ભલે તે ચાલતો હોય કે સ્થિર હોય, ત્યાગી હોય કે ગૃહસ્થ હોય, ખાતો હોય કે ઉપવાસી હોય.
અવિકારી ક્રિયા અવિકારી ક્રિયા એટલે ધર્મની ક્રિયા અથવા મુક્તિની ક્રિયા. લોકો બોલે છે કે, ક્રિયાથી ધર્મ થાય. પણ કોની ક્રિયા અને કઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com