Book Title: Vastu Vigyana sara
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Sangh

View full book text
Previous | Next

Page 48
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા ૪૧ ––––––– પર્યાયમાં પિંડરૂપ અવસ્થાની યોગ્યતા હોય તે જ સમયે તેમાં ઘડારૂપ અવસ્થાની પણ યોગ્યતા હોઈ શકે જ નહિ. કેમકે એક જ પર્યાયમાં એક સાથે બે પ્રકારની યોગ્યતા હોઈ શકે જ નહિ. આ સિદ્ધાંત અત્યંત અગત્યનો છે, તે દરેક ઠેકાણે લાગુ પાડવો. આ સિદ્ધાંતથી નક્કી થયું કે, માટીમાં જે વખતે પિંડરૂપ અવસ્થા હતી તે વખતે તેનામાં ઘડારૂપ અવસ્થાની યોગ્યતા જ ન હતી, તેથી જ તેમાં ઘડો થયો નથી; પરંતુ કુંભાર ન હતો માટે ન થયો એ વાત ખોટી ૯. “નિમિત્તો ન મેળવે તો કાર્ય ન થાય” એ માન્યતાનું મિથ્યાપણું, અને તે સંબંધી પુત્રનું દષ્ટાંત. “કોઈને પુત્ર થવાનો હતો પણ વિષયરૂપ નિમિત્ત ન મળ્યું માટે ન થયો” એ વાત મિથ્યા છે. જો પુત્ર થવાનો જ હોય તો જે વખતે થવાનો હોય તે વખતે થાય જ, અને તે વખતે વિષયાદિ નિમિત્ત સ્વયં હોય. પુત્ર એટલે કે એક આત્મા અને અનંત રજકણો આવવાના તો છે પણ પતિપત્ની બ્રહ્મચર્ય પાળે છે એટલે કે પુત્ર થવાનું નિમિત્ત નથી મળતું નથી તેથી તે આવતો અટકી ગયો એ માન્યતા મિથ્યાત્વ છે. પુત્ર થવાનો જ ન હતો અર્થાત્ તે જીવ અને અનંત રજકણોની ક્ષેત્રાતરરૂપ અવસ્થાની લાયકાત જ ત્યાં આવવાની ન હતી તેથી જ તે આવ્યા નથી. “પુત્ર આવવાની લાયકાત તો હતી પણ નિમિત્ત ન મળ્યું માટે ન આવ્યો, ને નિમિત્તે મળ્યું ત્યારે આવ્યો” એ માન્યતાનો અર્થ એ થયો કે નિમિત્તે કાર્ય કર્યું એ બે દ્રવ્યની એકત્વબુદ્ધિ જ છે. અથવા તો માતાપિતાએ નિમિત્તનો રસ્તો ન લીધો માટે પુત્ર ન થયો એ વાત પણ મિથ્યા છે. પુત્ર થવાની લાયકાત હોય ત્યારે તે થાય છે અને તે વખતે વિષયાદિનો અશુભ વિકલ્પ તથા શરીરની ભોગરૂપ ક્રિયા હોય છે- તેને નિમિત્ત કહેવાય છે. પણ પુત્ર આવવાનો હતો તેના કારણે વિકલ્પ કે ક્રિયા નથી, અને ક્રિયા તથા વિકલ્પ થયો તેને કારણે પુત્ર આવ્યો નથી. વિષયનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114