________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૬૩
છે તે ચારિત્ર-ગુણનો પર્યાય છે. પુરુષાર્થની નબળાઈથી રાગ-દ્વેષ થાય છે એમ કહેવું તે પણ નિમિત્તથી કથન છે. ખરેખર તો, ચારિત્રગુણની જ તે તે સમયની યોગ્યતાને લીધે જ રાગદ્વેષ થાય છે.
૪૬. સમ્યક્ નિર્ણયનું જોર. પ્રશ્ન:- વિકાર થાય છે તે ચારિત્રગુણના પર્યાયની જ લાયકાત છે, તો પછી જ્યાં સુધી ચારિત્રગુણના પર્યાયમાં વિકાર થવાની લાયકાત હોય ત્યાં સુધી વિકાર થયા જ કરે, એમ થતાં વિકારને ટાળવાનું જીવને આધીન રહ્યું નહિ ?
ઉત્તર:- એકેક સમયની સ્વતંત્ર લાયકાત છે એવો નિર્ણય કયા જ્ઞાનમાં કર્યો? ત્રિકાળીસ્વભાવ તરફ ઢળ્યા વગર જ્ઞાનમાં એકેક સમયની પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય થઈ શકે નહિ અને જ્યાં જ્ઞાન ત્રિકાળી સ્વભાવમાં ઢળ્યું ત્યાં સ્વભાવની પ્રતીતિના જોરે પર્યાયમાંથી રાગદ્વેષ થવાની લાયકાત ક્ષણે ક્ષણે ઘટતી જ જાય છે. જેણે સ્વભાવનો નિર્ણય કર્યો તેના પર્યાયમાં લાંબો કાળ રાગદ્વેષ રહે એવી લાયકાત હોય જ નહિ, એવું જ સમ્યુગ્નિર્ણયનું જોર છે. ૪૭. કાર્યમાં નિમિત્ત કંઈ કરતું નથી છતાં તેને કારણ” કેમ કહ્યું?
કાર્યનાં બે કારણો કહેવામાં આવ્યાં છે. તેમાં એક, ઉપાદાન. કારણ છે, તે જ યથાર્થ કારણ છે. બીજું, નિમિત્તકારણ. તે આરોપિત કારણ છે. ઉપાદાન અને નિમિત્ત એ બે કારણ કહેવાનો આશય એવો નથી કે બંને ભેગાં થઈને કાર્ય કરે છે. જ્યારે ઉપાદાન કારણ પોતે કાર્ય કરે છે ત્યારે બીજી ચીજને આરોપ કરીને તેને નિમિત્તકારણ કહેવાય છે, પણ તે ખરેખર કારણ નથી.
પ્રશ્ન:- નિમિત્ત તે ખરેખર કારણ નથી છતાં તેને કારણ કેમ કહ્યું?
ઉત્તર:- જેને નિમિત્ત કહેવાય છે તે પદાર્થમાં તેવા પ્રકારની (નિમિત્તરૂપ હોવાની) લાયકાત છે; તેથી અન્ય પદાર્થોથી તેને જુદું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com