________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૩૯
એમ કહે કે ‘માટીમાં ઘડો થવાની લાયકાત તો કાયમ છે પણ કુંભાર આવ્યો ત્યારે ઘડો થયો.' તો એ માન્યતા ખોટી છે. માટીમાં ઘડા રૂપે થવાની લાયકાત કાયમ નથી, પણ વર્તમાન એક જ સમયના પર્યાયની તે લાયકાત છે, અને જે સમયે પર્યાયમાં લાયકાત હોય છે તે સમયે જ ઘડો થાય છે. અન્ય પદાર્થોથી માટીને જીદી ઓળખાવવા માટે ‘માટીમાં ઘડો થવાની લાયકાત છે' એમ દ્રવ્યાર્થિકનયે કહેવાય છે. પણ ખરેખર તો જ્યારે ઘડો થાય છે ત્યારે જ તેનામાં ઘડો થવાની લાયકાત છે, ત્યાર પહેલાં ઘડો થવાની લાયકાત નથી પણ બીજા પર્યાયો થવાની લાયકાત છે. ૫. ગુરુને લીધે શ્રદ્ધા થતી નથી.
આત્મા પુરુષાર્થથી સાચી શ્રદ્ધા કરે છે, તે તેના પર્યાયની વર્તમાન લાયકાત છે, ને ગુરુ પોતાના કા૨ણે ૧ ‘હાજર હોય છે તે નિમિત્ત છે. જીવે શ્રદ્ધા કરી માટે ગુરુને આવવું પડયું એમ નથી, તેમ જ ગુરુ આવ્યા તેના કારણે શ્રદ્ધા થઈ એમ પણ નથી; બંને પોતાના કારણે છે. જો ગુરુ આવ્યા માટે શ્રદ્ધા થઈ-એમ માનીએ તો, ગુરુ કર્તા અને શિષ્યને શ્રદ્ધા થઈ તે તેનું કાર્ય એમ બે દ્રવ્યોને કર્તાકર્મપણું થઈ જાય; અથવા તો શ્રદ્ધા કરી માટે ગુરુ આવ્યા તે તેનું કાર્ય- એમ માનીએ તો, શ્રદ્ધા કર્તા અને ગુરુ આવ્યા તે તેનું કાર્ય–એમ બે દ્રવ્યોને કર્તાકર્મપણું થઈ જાય. પણ શ્રદ્ધા થઈ તે શ્રદ્ધાની પર્યાયના કારણે, ને ગુરુ ને આવ્યા તે ગુરુની પર્યાયના કારણે...... બંને સ્વતંત્ર છે.
૬. શાસ્ત્રથી જ્ઞાન થતું નથી.
સામે શાસ્ત્ર આવ્યું માટે જ્ઞાન થયું એમ નથી. પણ જે ક્ષણે પોતાની લાયકાત છ તે ક્ષણે જીવ પોતાની શક્તિથી જ્ઞાન કરે છે અને ત્યારે નિમિત્ત તરીકે શાસ્ત્ર હોય છે. જ્ઞાન થવાનું હોય માટે.
૧. વિધમાન; ઉપસ્થિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com