________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
૨૧
–––––––––––––––––––––––––––––––––
નથી. ઘણા કાળનાં કર્મો ક્ષણમાં ટાળી નાંખ્યાં તેનો અર્થ એટલો જ સમજવો કે જીવે ઘણો પુરુષાર્થ પોતાના પર્યાયમાં કર્યો છે.
છએ દ્રવ્યો પરિણમનસ્વભાવી છે અને તેઓ પોતાની મેળે ક્રમબદ્ધ પર્યાયમાં પરિણમે છે. છએ દ્રવ્યો પરની સહાય વગર સ્વયં પરિણમે છે. આ શ્રધ્ધા કરવામાં જ અનંત પુરુષાર્થ છે. પુરુષાર્થ વગરનો એકે પર્યાય થતો નથી, માત્ર પુરુષાર્થનું વલણ સ્વતરફ કરવાને બદલે પર તરફ જીવ કરે છે તે જ અજ્ઞાન છે. જો સ્વભાવની રુચિ કરે તો સ્વભાવ તરફ વળે, એટલે પર્યાય ક્રમે ક્રમે શુદ્ધ જ થાય.
આ વાતની સમજણમાં આત્માના મોક્ષનો ઉપાય રહેલો છે. માટે આ વાત બરાબર છંછેડીને સમજવી, જરા પણ ઢાંકવી નહિ. નિર્ણયપુર્વક ખુલ્લી કરીને જાણવી જોઈએ. પરમ સત્ન ઢંકાય નહિ પણ ઊહાપોહ કરીને બરાબર છંછેડી-છોડીને નક્કી કરવું જોઈએ. સત્યમાં કોઈની શરમ હોય નહિ. આ તો વસ્તુ સ્વરૂપ છે.
સમ્યગ્દષ્ટિ ધર્માત્મા પોતાના સમ્યજ્ઞાનથી એમ જાણે છે કે સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાનમાં જાણું છે તે પ્રમાણે દરેક વસ્તુ ક્રમબદ્ધ પરિણમે છે, મારો કેવળજ્ઞાનપર્યાય પણ ક્રમબદ્ધપણે મારા સ્વદ્રવ્યમાંથી જ પ્રગટવાનો છે. આવી સમ્યકભાવનાથી તેનું જ્ઞાન લંબાઈને સ્વભાવમાં એકાગ્ર થાય છે અને જ્ઞાતાશક્તિ પર્યાય ક્રમે ક્રમે ટળતો જાય છે. કોણ કહે છે કે આમાં પુરુષાર્થ નથી ? આવા સ્વભાવમાં જે નિઃશંક છે તે સમ્યગ્દષ્ટિ છે અને આ સ્વભાવમાં કંઈ પણ સંદેહ વેદે તે મિથ્યાષ્ટિ છે, તેને સર્વજ્ઞના જ્ઞાનની અને પોતાના જ્ઞાતાસ્વભાવની શ્રધ્ધા નથી.
અહા! આ સમ્યગ્દષ્ટિ જીવની ભાવના તો જુઓ! સ્વભાવથી શરૂ કર્યું છે અને સ્વભાવમાં જ લાવીને પુરું કરે છે જે ઠેકાણે શરૂ કર્યું છે ત્યાં ને ત્યાં લાવી મૂકયું છે. આત્મામાં સ્વાશ્રયે સાધક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com