________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
૧૯
–––––––
---
કર્તુત્વને છેદીને એકલો જ્ઞાતા થઈ ગયો, આમાં તો અનંતકાળે કદી નહિ કરેલ એવો અપૂર્વ સમ્યગ્દર્શનનો પુરુષાર્થ છે.
જેમ આત્મામાં બધા પર્યાય ક્રમબદ્ધ જ થાય છે તેમ જડમાં પણ જડની બધી અવસ્થા ક્રમબદ્ધ થાય છે. કર્મની જે જે અવસ્થા થાય છે તે આત્મા કરતો નથી પણ તે તે પરમાણુનો ક્રમબદ્ધ પર્યાય છે. કર્મના પરમાણુઓમાં ઉદય, ઉદીરણા, વગેરે જે દસ અવસ્થાઓ (કરણો) છે તે પરમાણુની ક્રમબદ્ધ દશા છે. આત્માના શુભ પરિણામને કારણે કર્મના પરમાણુઓની દશા ફરી નથી, પણ તે પરમાણુઓમાં જ તે ટાણે તે દશા થવાની લાયકાત હતી તેથી તે દશા થઈ છે. જીવના પુરુષાર્થને લીધે કોઈ કર્મની ક્રમબદ્ધ અવસ્થામાં ભંગ પડી જતો નથી, જીવે પોતાની દશામાં પુરુષાર્થ કર્યો અને તે વખતે કર્મના પરમાણુઓની ક્રમબદ્ધ દશા ઉપશમ, ઉદીરણાદિરૂપ સ્વયં હોય છે. પરમાણુમાં તેની અવસ્થા તેની લાયકાતથી તેના કારણે થાય છે, પણ આત્મા તેનું કાંઈ કરતો નથી.
પ્રશ્ન:- જો કર્મ તે પરમાણુના ક્રમબદ્ધ પર્યાય જ છે તો પછી જૈનમાં તો કર્મ સિધ્ધાંતના થોકબંધ શાસ્ત્રો ભરેલાં છે તેનું શું સમજવું ?
ઉત્તરઃ- ભાઈ રે! એ બધાં શાસ્ત્રો આત્માને જ બતાવનારાં છે. ફર્મનું જેટલું વર્ણન છે તેને આત્માના પરિણામ સાથે માત્ર નિમિત્તનૈમિત્તિક સંબંધ છે; આત્માનાં પરિણામો કેવા કેવા પ્રકારનાં થાય છે. તે સમજવા માટે ઉપચારથી કર્મમાં ભેદ પાડી સમજાવ્યું છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવવા માટે કર્મનું વર્ણન છે પણ જડકર્મ સાથે આત્માને કર્તાકર્મ સંબંધ જરા પણ નથી.
પ્રશ્ન- બંધ, ઉદય, ઉદીરણા, ઉપશમ, અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ, સત્તા, નિધત્ત અને નિકાચિત એવા દસ પ્રકારના કરણ (કર્મની અવસ્થાના પ્રકાર) કેમ કહ્યા છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com