________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
—
—
—
—
—
-
--
સુખ-દુઃખનું નિમિત્ત આવી પડવાનું છે તેમાં ફેરફાર કરવા શક્રેન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ સમર્થ નથી- આ સમ્યગ્દષ્ટિ જીવનો સાચા જ્ઞાનથી પુર્ણતાની ભાવનાનો વિચાર છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. તેને પોતાના જ્ઞાનમાં લ્ય છે, પણ કાંઈ સંયોગના ભયથી ઓથ લેવા માટેનો આ વિચાર નથી. એક પર્યાયમાં ત્રણ કાળ; ત્રણ લોકના પદાર્થોનું જ્ઞાન કઈ રીતે જણાઈ જાય તે પ્રકાર વિચારે છે.
અહીં સુખ-દુઃખના સંયોગની વાત કરી છે. સંયોગ વખતે અંદર પોતે જે શુભ કે અશુભ લાગણી કરે તે આત્માના વીર્યનું કાર્ય કરે છે. પુરુષાર્થની નબળાઈથી રાગદ્વેષ થાય છે. ત્યાં સમ્યગ્દષ્ટિ પોતાના પર્યાયની મોળપને સ્વના લક્ષે જાણે છે સંયોગના કારણે પોતાને રાગ-દ્વેષ થાય છે એમ માનતા નથી, સંયોગ-વિયોગ તો સર્વશે જોયા પ્રમાણે ક્રમસર થાય છે એમ તે માને છે; મિથ્યાષ્ટિ જીવ પરસંયોગના કારણે પોતાને રાગ-દ્વેષ થાય છે એમ માને છે, એટલે તે સંયોગ ફેરવવા માગે છે, તેને વીતરાગ શાસનની શ્રદ્ધા નથી. સર્વજ્ઞના જ્ઞાનની પણ તેને શ્રધ્ધા નથી. કેમકે સર્વજ્ઞદેવે જોય પ્રમાણે જ બધું થાય છે છતાં “આમ કેમ થયું?' એમ તે શંકા કરે છે. જો સર્વજ્ઞની શ્રધ્ધા હોય તો સર્વજ્ઞદેવે જોયા પ્રમાણે જ બધું થાય છે એમ નક્કી કરે અને તેથી સંયોગના કારણે પોતાને રાગદ્વેષ થાય છે એ માન્યતા ટળી જ જાય. આ વાતમાં જરાકે ફેરફાર માને તેને વીતરાગ શાસનની શ્રદ્ધા નથી.
જે જીવને જે નિમિત્ત દ્વારા જે આહાર-પાણી મળવાનાં હોય તે જીવને તે જ નિમિત્ત દ્વારા અને તે જ રજકણો મળવાનાં. તેમાં એક સમયમાત્ર કે એક પરમાણુમાત્રનો ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. જીવન, મરણ, સુખ, દુઃખ, દારિદ્ર, વગેરે જેમ થવાનું તેમ જ થવાનું, તેમાં લાખ પ્રકારે ચોકસાઈ રાખે તો પણ કિંચિત્ ફેરફાર થાય નહિ. ઇન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ પણ ફેરવવા સમર્થ નથી. આમાં નિયતવાદ નથી આવતો, પણ એકલો જ્ઞાયકપણાનો પુરુષાર્થવાદ જ આવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com