Book Title: Vairagyashatak Indriyaparajayshatak
Author(s): Punyakirtivijay
Publisher: Sangmarg Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ વૈરાગ્યશતક ગાથાર્થ - કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને ધારણ કરનારા, શ્રી પાર્શ્વનાથ સ્વામીને નમસ્કાર કરીને પૂર્વના આચાર્ય વડે રચાયેલા વૈરાગ્યશતકને સારી રીતે મારી બુદ્ધિની ક્ષમતા પ્રમાણે વર્ણન કરું છું. ત્યાં પ્રથમ ગાથા આ પ્રમાણે - ગાથાર્થ - વ્યાધિ અને વેદનાથી ભરેલા અસાર એવો સંસારમાં સુખ નથી એમ જાણતો હોવા છતાં પણ સંસારમાં રહેલો જીવ જીનેશ્વર ભગવંતે કહેલા ધર્મને કરતો નથી. ૧૫. ભાષાંતર - અસાર એટલે કે અપ્રધાન એવા ચારગતિરૂપ સંસારમાં તાત્ત્વિકરીતે અથવા ઘણું કરીને, શાતા વેદનીય કર્મથી ભોગ્ય એવું કાંઈપણ સુખ વિદ્યમાન નથી. સંસારના અસારપણાનું કારણ કહેતા કહે છે કે કેવા સંસારમાં ? વ્યાધિ એટલે કે શરીરની માંદગી વેદના એટલે કે માનસિક દુ:ખ આ બન્નેથી ભરેલા એવા આ સંસારમાં પ્રાણીઓને ફક્ત વ્યાધિ અને વેદના જ વર્તે છે. એ પ્રમાણે જાણતો એવો પણ સંસારમાં રહેલો જીવ જીનેશ્વર ભગવંતો વડે કહેવાયેલા અને પોતે પ્રાપ્ત કરેલા એવા ધર્મને કર્મની બહુલતા હોવાને કારણે કરતો નથી. ધર્મ કોને કહેવાય ? - દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારણ કરે તે ધર્મ. //ના. ગાથાર્થ - મૂઢ પુરુષો આજે કાલે, આવતા વર્ષે, અથવા પછીના વર્ષમાં મને અર્થસંપત્તિ થશે એમ વિચારે છે પરંતુ અંજલિમાં રહેલા પાણીની જેમ ગળતા એવા આયુષ્યને જોતા નથી. !!! ભાષાંતર – “ઘ” આદિપદોમાં પ્રાકૃત હોવાથી અનુસ્વાર કરેલો છે. મૂઢ મનુષ્યો આજે, કાલે, આવતા વર્ષમાં અથવા પછીનાં વર્ષોમા મને ધનની પ્રાપ્તિ થશે એમ વિચારે છે. જેમ કે- આજના દિવસે મને દ્રવ્યસંપત્તિ મળશે, અથવા કાલે મળશે અથવા આવતા વર્ષે મળશે અથવા પછીના વર્ષે મળશે એ પ્રમાણે આશાથી બંધાયેલા રહે છે. પરંતુ અંજલિમાં રહેલા પાણીની જેમ ગલતા એવા આયુષ્યને વિચારતા નથી. જેમ અંજલિમાં રહેલું પાણી થોડા પણ કાલ સુધી ઝઝઝઝઝઝઝઝઝઝઝ વૈરાગ્યશતક ૨

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 338