________________
(૨૩) તપથી બાહ્ય શરીરનું શોષણ થાય છે, પરંતુ આત્માનું પોષણ થાય છે અને સૌંદર્યતાને પ્રાપ્ત કરે છે.
- શ્રી ગુણવનિજી આર્યાજી (૨૪) ઔષધી લેવાથી જેમ રોગ મટી જાય છે, તેમ તપ પણ ઔષધી સમાન છે. ભવરોગને મટાડે છે.
- શ્રી રાજેશ્વરીજી આર્યાજી (૨૫) શરીરના રાગને તોડવા માટે તપ એક ઉત્તમ સાધન છે
- શ્રી હંસાકુમારીજી આર્યાજી (ર૬) શરીરની શોભા અંલકારથી છે, તેમ આત્માની શોભા તપ રૂપી અલંકારથી છે. - શ્રી ઇન્દુકુમારી જી આર્યા (૨૭) તપ ત્યારે જ શુધ્ધરૂપે હજો કે જ્યારે કોઇ કામના ન હોય, માત્ર નિર્જરાનું જ લક્ષ હોય.
- શ્રી રશ્મિનાજી આર્યાજી (૨૮) તપનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જાને.
- શ્રી શોભનાજી આર્યા (૨૯) તપ એક એવી આરાધના છે જે ભણેલા કે અભણ ગરીબ કે તવંગર કોઇ પણ હશે તે કરી શકશે.
- શ્રી અમરલતાજી આર્યાજી, (૩૦) તપ તેજાબ સમાન છે. જેમ સુવર્ણ અલંકાર મલીન થતા તેજાબ-ક્ષારમાં નાખવાથી મલીનતા દૂર થઈ જાય
છે. અને ચળકાટ આવી જાય છે, તેમ તપ દ્વારા આત્મા પર લાગેલી કર્મ મલિનતા દૂર થતા મુક્ત બની જાય છે.
- શ્રી અંજનાજી આર્યા (૩૧) તપ કેટલું કર્યું એ મહત્ત્વનું નથી, પરંતુ કેવુ કર્યું એ મહત્ત્વનું છે. - શ્રી વસન્તપ્રભાજી આર્યાજી (૩૨) તપ એ જ્યોતી છે. જે અજવાળવાનું કામ કરે છે.
- પૂ. રાજેમતીજી આર્યા (૩૩) તપ અનુપમ છે જેને કોઈ ઉપમાં આપવામાં આવતી નથી. જે અનુત્તર સુખને અપાવે છે.
- શ્રી ગીતાકુમારી આર્યાજી (૩૪) તપ એક છે પરંતુ ફાયદા અનેક છે. શરીર રાગ વિજય, આહાર-સંજ્ઞા વિજય, સ્વાદ વિજય, ઇચ્છા પર સંયમ વિગેરે.
- શ્રી પ્રાર્થનાજી આર્યાજી (૩૫) તપ એક એવું કર્મ છે, જે કરવાથી જ પ્રાપ્ત થાય છે.
- શ્રી ઝંખનાજ આર્યા (૩૬) તપથી શુધ્ધિ, સિધ્ધિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
- શ્રી રસિલાજી આર્યાજી. (૩૭) તપથી સત્ય, શિવ, સુન્દરમની પ્રાપ્તિ થાય છે.
- શ્રી રક્ષાબાઈ આર્યાજી (૩૮) તપ સંશય રહીત, તપ શોક રહીત, તપ સરાગ રહીત કરવાનો છે તો જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે.
- પૂ. કેવલમુનિજી (૩૯) તપ વિના તાપ અને પાપ ઘટતા નથી માટે તપ કરવું જરૂરી છે. - પૂ. ઉપાધ્યાય વિનોદમુનિજી (૪૦) તપની યશોગાથા દરેક ધર્મદર્શનોમાં બતાવી છે. માત્ર વાત કરીને નહિ પણ એનું રિઝલ્ટ બતાવ્યું છે.
- પૂ. ગિરીશચન્દ્રજી સ્વામી (૪૧) તપ સાકર સમાન છે. સાકર જેમ બધામાં ભળી જાય છે તેમ તપ પણ બધામાં ભળી જાય છે.
- પૂ. વિનયમુનિજી (૪૨) તપ દરીયા સમાન છે. જેમ દરિયામાંથી અનેક રત્નો મળે છે તેમ તપ કરવાથી અનેક સિધ્ધિઓ, લબ્ધિઓની પ્રાપ્તિ થાય છે.
- પૂ. ગૌતમ મુનિજી