Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 10
________________ પ્રાકથન ભારતના મેગલકાલીન ઇતિહાસમાં અપૂર્વ કાતિ પામેલા કુંવરદાસ અને સુંદરદાસ નામના બન્ને ભાઈઓ એજ જૈન-સાહિત્યમાં વણુયેલા સંઘપતિ બાંધવો કુરપાલ અને સેનપાલ હતા કે કેમ ? એ મહત્ત્વપૂર્ણ બાબતની સપ્રમાણ વિચારણા કરવાને મેં અહીં અલ્પ પ્રયાસ કર્યો છે. સુંદરદાસની રાજકીય કારકિર્દી તો એ સમયે પુર બહાર ખોલી હતી, અને ખુદ સમ્રાટ જહાંગીરે તેના આત્મવૃત્તાંતમાં એ સંબંધમાં ઘણું ઘણું વિવરણ કર્યું છે. તેની વફાદારી ઉપર પ્રશંસાનાં પુષ્પો વેર્યા છે, અને તેના વિદ્રોહથી છંછેડાઈને તેને ખૂબ આકરા શબ્દોમાં ભાંડ્યો પણ છે. તે દ્વારા આ વિષયની ગંભીરતા અને મહત્તા પ્રતીત થઈ શકશે. પરંતુ ખેદની બાબત એ છે કે ઇતિહાસનું ધ્યાન આ પ્રશ્ન આકૃષ્ટ થયું હોવા છતાં આ સંબંધમાં અન્વેષણ કરવાની કેઈએ તસ્દી લીધી જણાતી નથી. જૈન સાહિત્યમાં પણ કુરપાલ અને સોનપાલના ઉન્નત રાજકીય સ્થાનને સૂચિત કરતાં પર્યાપ્ત પ્રમાણે ઉપલબ્ધ થતાં હોવા છતાં જૈનસંઘ પણ પોતાની આવી વિરલ પ્રતિભાના ભારતવ્યાપી રાજકીય સ્થાનને પીબનવાનું ગૌરવ સમજી શક્યો નહિ એ શું એ આશ્ચર્યની વાત છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68