________________
કુંવરદાસ અને સુંદરદાસ હતા?
[ ૫૩
૧૬૭૧ સુધીમાં અનેકવિધ પ્રમાણે જૈન-ગ્રન્થમાંથી સારા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એ પછી સં. ૧૬૭૨ નો પાળિયે પણ ઉપલબ્ધ થઈ શકો અને છેલ્લે તેમની રાજકીય-કારકિર્દી જ્યારે પુર બહારમાં ખીલી હતી તે સમયે રચાયેલું જણાતું હિન્દી કાવ્ય, જે જૈનેતર રચના સંભવે છે, તે પણ સદ્ભાગ્ય સાંપડી શકયું છે.
ઉપર્યુક્ત જૈન પ્રમાણમાંથી નિમ્નક્ત બાબતો સ્પષ્ટ રીતે તારવી શકાય છે. કુંરપાલ અને સેનપાલ એ બેઉ ભાઈએ આગરાના ધનાઢ્ય વેપારી (નિ: શ્રેણી) હતા. તેઓ ઘણુ ધર્મપ્રેમી, દાનેશ્વરી અને પરાક્રમી યોદ્ધા પણ હતા. અકબર બાદશાહના રાજ્ય-કાળમાં તેમની રાજકીય વગ વધેલી એમ તેમના સૂપમૌ વિશેષણથી સૂચિત થાય છે. તેમણે સમેતશિખર તીર્થને સંઘ કાઢેલે ત્યારે જહાંગીરે તેમના “બંદિ છોડાવનાર બિરુદને ઉલ્લેખ કરીને તેમને કેઠીવાલ કહ્યા. જહાંગીરે વિશેષમાં જણાવ્યું કે તેમનાથી અમારા નગરની શોભા છે.” તીર્થસંઘ બાદ જહાંગીરે તેમને “નગરશિરોમણિ'ની પદવી આપીને તેમનું બહુમાન કર્યું. એ પછી તેઓ રાજકાજમાં જોડાયા અને પોતાના પરાક્રમબળે જહાંગીરના મંત્રીપદે (કહાંગીર ભૂપત્રીમત્યિૌ) ઠેઠ પહોંચ્યા. તેમની રાજકીય કારકિર્દીના ઉપલક્ષમાં તેમને રાજમાન્ય શાલિભદ્ર, મંત્રીવર્ય વિમલ તથા વસ્તુપાલ અને તેજપાલ૮ વગેરે સાથે સરખાવવામાં આવ્યા. તેથીયે સંતોષ ન પામનાર કવિઓએ તેમને
+ તેમણે શત્રુજ્યને સંઘ (સં૧૬૫૭) અકબરના શાસનકાળ દરમિયાન કાલે હેઇને, રાજફરમાન મેળવવા સમ્રાટને તેઓ મળ્યા હોય અને તેના સમાગમમાં આવ્યા હોય એમ માની શકાય. » સમેતશિખર રાસમાં પણ આ પ્રમાણે વર્ણન છેઃ
વસ્તુપાલ તેજપાલ ભલા રે, વિમલ મહા મંત્રીશ;
ઈણિ દીઠઈ તે ઉલખ્યા રે, મેટી જાસ જગીશ ૪૬૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com