Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 57
________________ ૫૪ ] કુરપાલ અને સેનપાલ એ જ મગધરાજ શ્રેણિક તથા મહારાજા સંપ્રતિના અવતાર રૂપે ગણાવવા પ્રેરાયા. હિન્દી કાવ્યમાં ઉપયુક્ત બાબતો ઉપરાંત બંધુયુગલના ઉનત રાજકીય સ્થાનને જેસીલી જબાનમાં વર્ણવવામાં આવ્યું છે. તેમાં તેમના ગુણકીર્તન ઉપરાંત તેમની પદવી રાજા જેવી હતી અને સોનપાલ તો “હિન્દુ સુરતાણ” કહેવાતો હતો એવું વિશેષ વર્ણન પણ છે. ઐતિહાસિક કેયડ : તેને ઉકેલ ક્રપાલ અને સેનપાલ વિશે ઉપર્યુક્ત પ્રશસ્ત ઉલલેખો મળતા હોવા છતાં મેગલ તવારીખમાં તેમનાં નામ સ્પષ્ટ રીતે જડતાં નથી. જહાંગીરે પોતાનું આત્મચરિત્ર લખ્યું છે તેમાં તત્કાલીન રાજકીય બાબતોનું શૃંખલાબદ્ધ વર્ણન છે, પરંતુ તેમાંથી પણ તેમનાં ચેખાં નામ જડતાં નથી. તેમના સમકાલીન પ્રમા માં તેમની રાજકીય કારકિર્દી વિશે ઘણું ઘણું કહેવાયું હોય અને રાજકીય તવારીખોમાં તેમને નામોલ્લેખ સુદ્ધાં ન મળે એ કેવું ? ઈતિહાસનો એ એક જટિલ કેયડે જ ગણાય. પ્રો. બનારસીદાસ જૈન જેવા વિદ્વાન પણ આગરાની શિલાપ્રશસ્તિ, જેમાં કુરપાલ સેનપાલને જહાંગીરના અમાત્યો કહ્યા છે, તે ઉપરથી જહાંગીરના રાજ્ય સંબંધી એકાદ બે ફારસી ગ્રન્થો જોઈ જવા પ્રેરાયેલા પરંતુ નામ ન મળવાથી દ્વિધામાં મૂકાઈ ગયેલા. અંતે તેમણે કુંરપાલ સોનપાલ કે તેમના પિતા ઋષભદાસનાં નામ રાજકીય ઈતિહાસમાંથી શોધી કાઢવાનું વિદ્વાનને સૂચન કરેલું, જે વિશે પ્રાફકથનમાં કહેવાઈ ગયું છે. ગુજરાતના ખ્યાતનામ ઇતિહાસકાર રત્નમણિરાવ ભીમરાવ જેટે આ જટિલ કેયડાનો ઉકેલ બીજી રીતે શોધી કાઢે છે તેઓ એ ખુલાસો કરે છે કે જહાંગીરના રાજ્ય સંબંધી ઇતિહાસમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68