Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 67
________________ ૬૪ ] કુરપાલ અને સેનપાલ એ જ આ વાંધાના જવાબ રૂપે એથી પણ મેટી ઉંમરે રાજકારણ ઉપરાંત યુદ્ધોમાં પણ પરાક્રમ દર્શાવનારાઓને અનેક દાખલાઓ ટાંકી શકાય. કુંવર અને સુંદરના સમકાલીન, અને શાહજહાંના વિદ્રોહના સમર્થ પુરસ્કર્તા નવાબ અબ્રહીમખાન, જે ખાનખાનાંને ઉચ્ચ ખિતાબ ધરાવતો હતો, તેણે એટલી જ ઉંમરે અકબરના સમયમાં ત્રણ સુપ્રસિદ્ધ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને મેગલ સામ્રાજ્યને સંગીન બનાવવામાં જબરે હિસે આપેલો. સિત્તેર વર્ષ વટાવી ચૂક હોવા છતાં તે દક્ષિણના અટપટા અને થકાવી નાખે એવા યુદ્ધનો હવાલે સંભાળતો હતો અને શાહજહાંએ વિદ્રોહની ચિનગારી ચાંપી ત્યારે અલિપ્ત ન રહેતાં તેણે પૂરેપૂરા જુસ્સાથી તેમાં ઝંપલાવ્યું. અહીં સમસામયિક આ એક ઉદાહરણ જ બસ થશે. અંતે, મુખ્ય મુખ્ય દલીલ અને વાંધાઓ વિશે આટલું વિવરણ કરીને રત્નમણિરાવના અંતિમ કથનની સાથે આ વક્તવ્ય અહીં પૂરું કરીએ. “કુરપાલ સોનપાલ ગમે તે હોય, પણ જેનેમાં કેટલીક મહાન વ્યક્તિઓમાં એમની પણ ગણતરી થાય છે, અને આપણે લેખ એમની હકીકતમાં કેટલીક પૂરવણું કરે છે. જહાંગીરના સમયના મહાપુરુષોના હેવાલમાં આ બન્ને વ્યક્તિઓની હજી વધારે તપાસ થવાની જરૂર છે મને જે સામ્ય નજરે પડ્યું છે તે વાંધાવાળું અને કાચું જ છે. આ સંબંધી કેાઈ વધારે પ્રકાશ પાડશે એમ ઈચ્છું છું.” વાયું ન હોઈને આ પ્રશ્નને એ રીતે સરખાવી શકાયો નથી, નહીં તે આ વિચારણા અધિક રસમય બનત એમાં શંકા નથી. અલબત્ત, સુંદરદાસ અને સેનપાલ, કુંવરદાસ અને કંરપાલ કરતાં અનુક્રમે વધારે પરાક્રમવાળા તો તેમાં દર્શાવાયા જ છે આટલું સામ્ય પણ વજનદાર ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68