Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 52
________________ જૈન સાહિત્યમાં [ ૪૯ મથાળે સૂર્ય અને ચંદ્ર મૂક્યા છે. બધી મૂતિઓનાં મુખ ખંડિત છે. ઘડાનું મુખ અખંડિત છે સાજ ઉપરથી ઘડેસવાર લડવૈયો હોય એવો લાગે છે. સ્ત્રીઓનો પહેરવેશ ઉત્તર ગુજરાત કે મારવાડ જે દેખાય છે અને ચૂંદડીની ભાત પણ સ્પષ્ટ કોતરેલી છે. (જુઓ ફેટે લેઈટ) ઉત્કીર્ણ લેખમાં પ્રાસંગિક ઉલ્લેખ તથા દિલ્હીમાં જહાંગીરનું રાજ્ય હતું વગેરે છે. પરંતુ પાળિયાની મહત્વની દૃશ્યમાન બાબત એ છે કે રૂપચંદ લડવૈયો હતો. ઘેડેસવારને સાજ જોતાં તે વણિક તો ન જ લાગે. તેના પિતા સેનપાલની જેમ તે પણ દ્ધો હોય એમાં શું નવાઈ? વળી તેની પત્નીઓ સતી થઈ એ પણ તેમની શૌર્ય-પરંપરાને અનુરૂપ ગણી શકાય. સામાન્યતઃ જૈનોમાં સતી પ્રથાને ઉગ્ર નિષેધ છે, ત્યારે તે ઘણું સૂચક ગણાય.A. | કુરપાલ સોનપાલની રાજકીય કારકિર્દી એ પછી વધતી ચાલી. તેમને “રાજા” જેવી પદવી મળી, ને તેમને રાજ્યમાન્ય શાલિભદ્ર, મગધરાજ શ્રેણિક તથા મહારાજા સંપ્રતિ જેવા મહાપુરુષો સાથે સરખાવવામાં આવ્યા. “સોનપાલ સંઘાધિપ રાસ'ના મંગલાચરણમાં વર્ણન છે કે – સાલિ મુસાલી ભદ્ર અવતારે, ધુરિમ ગુણિ દાનિ અપારે; સોનપાલ સેવનગિરિ સારે, કંઈ શ્રેણિક સંપ્રતિ અવતારે. સાજણ સિંહસું જાણુઉં, સાજણ મણું રંજણું પુહવિહિ પયડ પ્રમાણ, જગિ કલિજુગ ગંજઈ. A ક્ષત્રિયો જેનધર્મ સ્વીકારીને સવાલ થયા એ બાબત સુવિદિત છે. એટલે જેનેમાં સતી થવા સંબંધમાં જે ત્રીસેક પાળિયાઓ આજ દિવસ સુધીમાં પ્રકાશમાં આવ્યા છે તે બધા જ સવાલ સંબંધિત જ છે. જુઓઃ “બીકાનેર જૈન લેખસંગ્રહ”, સં. શ્રી નાહટાજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68