________________
૪૮ ]
કુંરપાલ અને સોનપાલ
કીય કારકિર્દી ધરાવતા થયા, એમ ઉપર્યુક્ત ઉલેખ પરથી નિવિવાદપણે સિદ્ધ થાય છે. પ્રશસ્તિ સમકાલીન પુરાવો હેઈને તે પ્રત્યે શંકા રાખવાનું કોઈ કારણ નથી.
આગરાની ઐતિહાસિક પ્રતિષ્ઠા પછી બરોબર બીજે જ વર્ષે સં. ૧૬૭૨ ના વૈશાખ સુદી ૩ ને ગુરુવારે સોનપાલના જ્યેષ્ટ પુત્ર રૂપચંદનું અમદાવાદમાં દેહાવસાન થયું અને તેની પાછળ તેની ત્રણે પત્નીઓ સતી થઈ તેના સ્મારકરૂપે આસને પાળિયો મૂકવામાં આવેલે, જે ગુજરાતના પ્રખર ઇતિહાસ રત્નમણિરાવના જેવામાં આવેલ તે વિશે પ્રાફકથનમાં ઉલ્લેખ થઈ ગયો છે.*
આ કલાત્મક પાળિયે કૂવાના થાળામાં જડેલે હતો પરંતુ અસલ તે સુંદર છત્રીમાં જડેલે હશે અને પછીથી એ તૂટી જતાં નદી કિનારે રખડત હશે એટલે કેઈએ તેને કૂવાના થાળામાં જડ્યો હશે એમ જણાય છે. ઘણા જૂના વખતથી ત્યાં જ સ્મશાન હતું એમ “મિરાતે અહમદી' લખે છે. એટલે સ્મશાનમાં રૂપચંદની પાછળ ત્રણે સ્ત્રીઓ સતી થઈ હશે.
પણબે ફૂટ લાંબા અને એક ફૂટ પહેળા શુદ્ધ ઘેળા આરસની શિલાને ફરતો હાંસિયો રાખવામાં આવ્યો છે, તેને ફરતે લેખ કરેલ છે. વચ્ચેના લંબચોરસ ભાગમાં ડાબી બાજુએ ઘડેસવારની તથા જમણી બાજુ તેની ત્રણે સ્ત્રીઓની મૂર્તિઓ છે. + રનમણિરાવે પાળિયાન લેખ, તેને ફેટે તથા તેનું મનનીય વિવરણ “જૈન સાહિત્ય સંશોધક (ખંડ ૩, અંક ૪)માં રજૂ કરેલ છે. તેઓ નોંધે છે કે – “આ પાળિયા હાલમાં છે એવા સ્થળમાં રાખવા જે નથી. અમદાવાદના કલારસિક અને ઈતિહાસના શોખીન ગૃહસ્થાએ કૂવાના માલિક પાસેથી એની માગ કરી કેાઈ સારા સ્થળે કે કઈ સંગ્રહસ્થાનમાં અગર તો અમદાવાદના ભાવિ મ્યુઝિયમમાં મૂકાવવા યત્ન કરવો જોઈએ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com