________________
૫૦ ]
કુંપાલ અને સેનપાલ :
અન્નઈ શ્રવર્ણિ સુણજઈ, નંદનવનિ જિણિ રંગે રમી જઈ એ સવિ સધાર રાય સાધાર, રાય બંદિ છેડ બિરુદ આધાર. થિર રાય થાપન કરીએ, અવિ સંઘપતિ રાય*
આ રાસની એકમાત્ર અપૂર્ણ હાથપ્રત પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં ઉપલબ્ધ છે. શરૂઆતમાં તેમણે કાઢેલા શત્રુજય તીર્થના સંઘનું તથા તેના ઉદ્ધારનું તેમાં વિસ્તારથી વર્ણન છે. તેમના રાજકીય સ્થાનને સૂચવતા ઉલેખ “બંદિ છોડ”નું બિરુદ ઇત્યાદિ વર્ણન જ અહીં ઉપયોગી છે. રાસના વર્ણનને આધારે કહી શકાય એમ છે કે તે આગરાની પ્રતિષ્ઠા પછી રચાય હશે, કેમ કે તેમાં સંઘપતિનું મંત્રી કે અમાત્યથી વિશેષ “રાજા” જેવું વર્ણન છે. આ રાસના નામાભિધાનથી સ્પષ્ટ થાય છે કે ઉમરમાં સોનપાલ કુરપાલ કરતાં નાને (દ્વિતીય) હોવા છતાં પ્રભાવની દષ્ટિએ ચડિયાતો હતો. જેનેતર પ્રમાણ
જૈનેતર પ્રમાણમાં એકમાત્ર, અને પ્રસ્તુત સંદર્ભમાં સર્વ શ્રેષ્ઠ ગણી શકાય એવું વિરલ “કેરપાલ સેનપાલ સેઢા ગુણપ્રશંસા” નામક એક હિન્દી કાવ્ય સદ્ભાગ્યે પુરાતત્ત્વાચાર્ય મુનિ જિનવિજયજીને પાટણના ગ્રન્થાગારમાંથી પ્રાપ્ત થઈ શક્યું છે. કુંરપાલ સેનપાલની રાજકીય કારકિર્દી ચરમ સિમાએ પહોંચેલી તે સમયે તે રચાયું હશે એમ તેના વર્ણન ઉપરથી સ્પષ્ટ રીતે કહી શકાય છે. ઉપર્યુક્ત બધાં જ જૈન પ્રમાણે તેમની રાજકીય
* હાલમાં આ રાસને માત્ર બે પાનાં જેટલે અંશ જ ઉપલબ્ધ થયો છે. મૂળ તે તે અપૂર્ણ દશામાં જ છે. બાકીને ભાગ મેળવીને મારા પ્રશ્યમાન “અંચલગચ્છીય રાસસંગ્રહ”માં હું આ સંબંધમાં વિશેષ પ્રકાશ પાડીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com