Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 41
________________ ૩૮ ] કુંરપાલ અને સેનપાલ : જૈન ધર્માવલંબી કર્યો. ગુરુકૃપાથી તેને રામદેવ નામે પુત્ર થયે, જેનાથી લેઢાવંશ ચાલ્યો. કાલક્રમે વંશવૃદ્ધિ થતાં તેમાંથી ચાર શાખાઓ પ્રાદુર્ભીત થઈ. ધજમલન અન્વયમાં-ધજમલૌત શાખામાં-પચાસમી પેઢીએ શેભાચંદ્ર થયા, જેમને આગરાની શિલા-પ્રશસ્તિમાં શૃંગ કહ્યા છે–તેઓએ સૌ પ્રથમ આગરામાં વસીને સં. ૧૫૦૧ માં જિનાલય બંધાવ્યું. તેમના વંશમાં કુંરપાલ સોનપાલ થયા. લેઢા વંશજે મૂળ ક્યાંના હતા એ વિશે સ્પષ્ટ પ્રમાણ મળતું નથી. પરંતુ તેઓ ઘણી પેઢીથી આગરામાં આવીને વસ્યા હોવાથી શિલા-પ્રશસ્તિમાં તેમને “આગરાનિવાસી’ કહ્યા છે. ત્યાં તેમણે બંધાવેલાં અનેક જિનાલય છે, જે દ્વારા તેમને પ્રભાવ સૂચિત થાય છે. ધર્મોદ્યોતનાં કાર્યો | કુરપાલ સોનપાલે તથા તેમના પિતા ઋષભદાસે અંચલગચ્છાધિપતિ ધર્મમૂર્તિસૂરિ અને તેમને પદધર શિષ્ય કલ્યાણસાગર, સરિના ઉપદેશથી અનેક ધર્મકાર્યો કરીને પોતાનું જીવન ચરિતાર્થ કર્યું. આગરામાં ઉપાશ્રય, જેના ત્રણ તે મજલા (ધોત્રિજ) હતા, શ્રી મહાવીર સ્વામી તથા શ્રી શ્રેયાંસનાથનાં બે ભવ્ય જિનાલય આદિ બંધાવ્યાં; શત્રુંજય તથા સમેતશિખરના બે વિશાળ તીર્થ– સંઘે કાઢ્યા અને આબુ, ગિરનાર આદિ મહાતીર્થોની યાત્રા કરીને તેને ઉદ્ધાર પણ કરાવ્યો તેમના દ્વારા પ્રતિષ્ઠિત જિનબિંબો આજે ભારતનાં અનેક સ્થાનમાંથી ઉપલબ્ધ થાય છે, જે દ્વારા તેમની કીર્તિની સૌરભ બધે પથરાયેલી જોવા મળે છે ... એમની સામાજિક તથા ધાર્મિક કારકીર્દિનું વિવરણ કરવું અહીં અપ્રસ્તુત છે. માત્ર રાજકીય કારકિર્દીને સ્પર્શતી બાબતો જ અહીં નેધશું ! કુંરપાલ અને સોનપાલનાં કાર્યો તથા પ્રતિષ્ઠાઓ વિશે “અંચલગ૭ દિગ્દર્શન”, “અંચલગચ્છીય પ્રતિષ્ઠા લેખ” આદિ ગ્રન્થો જોઈ જવા જિજ્ઞાસુઓને વિનંતી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68