________________
૪૦ ]
કુરપાલ અને સેનપાલ : स्तत्र कुंरपाल-सोनपालाभिध निज तेहेसिलदाराभ्यां निर्मापितौ तौ पूर्वक्तौ जिनप्रासादौ निरीक्ष्य...॥
પટ્ટાવલીમાં ઉપયુંકત ઉલ્લેખ સાથે એક ચમત્કારિક પ્રસંગ વર્ણવાય છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે: સંઘપતિ દ્વારા આગરામાં નિર્માણ પામેલાં જિનાલયે સંબંધમાં જહાંગીરે તેમને જણાવ્યું કે “તમારે પથ્થરનો દેવ જે દસ દિવસમાં મને ચમત્કાર નહિ દેખાડે તો હું અને મંદિરે તેડી પાડીશ”. કલ્યાણસાગરસૂરિ એ વખતે વાણુરસી હેઈને સેનપાલ તેમને હકીકત અવગત કરાવવા ઊંટ ઉપર બેસીને ચોથે દિવસે ત્યાં પહોંચે. સૂરિએ તેને આશ્વાસન આપીને કહ્યું કે “હું આગરા આવી પહોંચીશ અને સઘળું સારું થઈ રહેશે”. પછી આકાશગામિની-વિદ્યાથી બીજે જ દિવસે તેઓ આગરા પહોંચ્યા. ત્યાર બાદ બે દિવસ પછી સોનપાલ પણ પુર ઝડપે ત્યાં આવી પહોંચ્યો. જહાંગીરને તે ચમત્કાર જોવા આચાર્ય પાસે તેડી લાવ્યો આચાર્યો તેને પ્રતિમાને નમસ્કાર કરવા કહ્યું, તેમ કરતાં પ્રતિમાને એક હાથ ઉચ્ચ સ્વરે ધર્મલાભ આપવાપૂર્વક ઊંચો થયે. આથી જહાંગીર ઘણો ચમત્કૃત થયો અને તેણે દસ હજાર સુવર્ણ મુદ્રિકા સૂરિને મોકલાવી ઈત્યાદિ.
વર્ધમાન-પસિંહ શ્રેણી ચરિત્ર”માં તથા “શ્રી કલ્યાણસાગરસુરિનો રાસમાં પણ થોડા ઘણા ફેરફાર સાથે એવું જ વર્ણન જેવા મળે છે. જહાંગીર કલ્યાણસાગરસૂરિને પગે પડીને “આ દેવ જ સાચા છે” એવું બોલતો વિદાય થયેલ હોવાનું તેમાં જણાવાયું છે જુઓ–
जगौ च सोनपालोऽपि। पातिसाहं कृतांजलिः ॥ कृपां कृत्वा समायांतु । भवंतस्तत्र मंदिरे ॥ ६७ ॥ विस्मितः पातिसाहोऽपि । सूरीणां पादयोन्तः ॥ सत्यः सत्यश्च देवोऽयमिति जल्पन् ययौ ततः ॥ ७४ ॥
–(શ્રી વર્ધમાન–પદ્મસિંહ શ્રેષ્ટી ચરિત્રની પ્રશસ્તિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com