________________
જૈન સાહિત્યમાં
[ ૪૩
આધારભૂત પ્રમાણે | કુરપાલ સેનપાલના રાજકીય સ્થાન અને પ્રભાવને સૂચિત કરતા આધારભૂત પ્રમાણમાં “આચાર દિનકર” ની પ્રત–પુષ્પિકા લેખન સમય ૧૬૫૬ ના પોષ સુદિ ૫ ને ગુરૂવાર) સૌથી પ્રાચીન છે. એ પ્રત તેમના પિતા ઋષભદાસના શ્રેયાર્થે લખાઈ અને આચાર્ય કલ્યાણસાગરસૂરિને અપિત થઈ. તેમાં બન્ને ભાઈઓને “ભૂપાલમાચૌ' કહેવાયા છે. જુઓ –
तज्जाया राजश्री स्तदंगजो धर्मवान जनि धन्यः । संघमुख्योऽस्ति साधुः श्रीमच्छी ऋषभदासाख्यः॥ तत्पत्नी रेखश्री स्तदंगजः कुंरुपाल नामस्ति । अपरश्च सोनपाल आदयो भूपालमान्यौ ॥*
કુરપાલ સેનપાલે ઉક્ત પ્રત લખાવી ત્યારે અકબર બાદશાહનું રાજ્યશાસન હતું. તેમણે સં. ૧૬૫૭ માં શત્રુંજયને સંઘ કાઢેલે તે પહેલાં તેઓ અકબરના સમાગમમાં આવ્યા હતા એવું તે ઉચ્ચારેલી કે ખુશરૂ બાદશાહ બનશે. આથી બિકાનેરના રાજા રાયસિંહ, મંત્રી કર્મચંદ્ર બછાવત વગેરેએ તેને પક્ષ લીધેલ. જહાંગીરે એ વાત દાઢમાં રાખી. સમય આવતાં બિકાનેરના રાજવંશ અને મંત્રી કર્મચંદ્રના વંશનું તેણે યુક્તિપૂર્વક નિકંદન કાઢી નાખ્યું. શિખોના ધર્મગુરુ અર્જુનસિંહે ખુશરૂને માત્ર આશીર્વાદ આપ્યા તેના બદલામાં તેમને મૃત્યુદંડ આપવામાં આવ્યો. “તુઝુકઈ-જહાંગીરી” માં જહાંગીરે આચાર્ય જિનસિંહસૂરિ માટે ઘણા તિરસ્કારભર્યા શબ્દો લખ્યા છે. જૈન સાધુઓને પોતાના રાજ્યમાંથી હાંકી કાઢવા અંગે કાઢેલા ફરમાન વિષે પણ જહાંગીરે નોંધ લીધી છે. આવા સંજોગોમાં આગરામાં ઐતિહાસિક પ્રતિષ્ઠા થઈ શકી તે કુરપાલ સોનપાલની રાજકીય વગને કારણે જ હોઈ શકે. * “પ્રશસ્તિ-સંગ્રહ” પૃ. ૧૫૬ ઃ જૈન સાહિત્ય-પ્રદર્શન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com