________________
૨૦ ]
કુંવરદાસ અને સુંદરદાસ શાહીપક્ષે શાહજહાંના દીવાન મુલ્લા શુક્લા અને તેના મુખ્ય મદદનીશ સુંદરદાસે સંધિની વાટાઘાટો ચલાવી. સુંદરદાસ તે વખતે “મીર સામાન”ને હોદ્દો ધરાવતો હતો દીવાન પછી એ હોદ્દો ગણાતો. આ હેદ્દાથી તેની કારકિદીને પ્રારંભ થયે.
કોઈ પ્રકારનો દંડ, કર કે ભૂમિ ન આપવાં, મેગલ દરબારમાં સ્વયં મહારાણાને ઉપસ્થિત રહેવામાંથી મુક્તિ, કિન્તુ પાટવી કુંવર કર્ણને ત્યાં મોકલાવો ઈત્યાદિ શરતો સ્વીકારી મહારાણાએ આધીનતા
સ્વીકારી. ખુદ મહારાણાએ સામે ચાલીને શાહજહાંની મુલાકાત લીધી અને કુંવર કર્ણ દરબારમાં ગયે. ચિત્તોડને ગઢ જીર્ણોદ્ધાર ન કરવાની શરતે મહારાણાને પરત કરવામાં આવ્યો. આ પ્રમાણે મેવાડ વિજય થયું. જહાંગીરે એ પ્રસંગે એવી પ્રસન્નતા માણી જાણે કે તેણે ભારત ઉપર સંપૂર્ણ વિજય પ્રાપ્ત ન કર્યો હોય!
આ વિજય શાહજહાંની કારકિર્દીનું પ્રથમ સોપાન હોઈને તેનું મહત્વ ઘણું વધી ગયું, વિષ્ટિકાર તરીકે સારું કામ કરવાથી તેના દીવાન અને સુંદરદાસને અનુક્રમે “અફઝલખાન” તથા
રાયરામાં’ના ખિતાબ પ્રાપ્ત થયા, તથા તેમના મનસબમાં પણ વૃદ્ધિ થઈ.* *“......Diwan Mulla Shukrulla, whom after the conclusion of this business I dignified with the title of Afzal Khan, and Sundar Das, his major-domo, who after this matter was settled, was honoured with the title of Ray Rayan, to the exalted Court, and represented the circumstances.” (“Memoirs of Jahangir”, Vol I, P. 273, Translated by Rogers, Edited by
Beveridge). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com