Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 22
________________ રાજકીય તવારીખમાં [ ૧૯ માંડપુરના દુતા રાજા, જેતે જહાંગીર વાધેલા કહે છે, તે પણ રાજા વિક્રમાત કહેવાતા. તેણે જહાંગીરને હાથી તથા હીરાજડિત કલગી નજરાણામાં ધરીને તેની આધીનતા સ્વીકારેલી. આમ છતાં સુંદરદાસની કારકિર્દી અન્ય ત્રણથી જુદી તરી આવે છે. પત્રદાસની કારકિર્દીના ઉત્તરાની સાથે જ સુંદરદાસની ભારતવ્યાપી રાજકીય કારકિર્દીના ઉદય થાય છે. અન્ય બેઉ રાજાએની કારકિર્દી બહુધા એમના રાજ્ય પૂરતી જ મર્યાદિત હતી, બીજી રીતે વિચારીએ તે સુંદરદાસનાં પરાક્રમે। અન્ય ત્રણેય સમાન બિરુદધારક વ્યક્તિએથી ચડિયાતાં છે. મેવાડ વિજય મેવાડ વિજ્યના વિટ્ટકાર તરીકે સુંદરદાસ મેગલ તવારીખમાં સૌ પ્રથમ પ્રવેશ પામે છે. ઈ સ ૧૬૧૪ માં માત્ર ત્રેવીસ વર્ષની કુમળી વયે શાહજહાં સેનાધ્યક્ષ તરીકે મેવાડ તરફ કૂચ કરે છે ત્યારે સુંદરદાસ તેના મુખ્ય સલાહકારાની મંડળીમાં સ્થાન પામી ચૂકયો હાય છે. મોગલ સામ્રાજ્યના સંસ્થાપક બાબર તથા રાણા સાંગા, તેમ જ સમ્રાટ અકબર તથા મહારાણા પ્રતાપ વચ્ચે અનેક યુદ્ધો ખેલાયાં, પરંતુ મેવાડ અણુનમ રહેલું. તેનું સ્વાતંત્ર્ય હિન્દુએાના સ્વાતંત્ર્યનુ દ્યોતક હેઈને મેગલ સમ્રાટેાની આંખમાં કણાની જેમ ખૂંચતું હતું, અંતે મહારાણા અમરસિંહે તે ગુમાવ્યું અને મેાગલેાની આણુ સ્વીકારી. ×આઇને અક્બરીના ગ્લેડવીનના તરજુમામાં મનસબદારામાં છેલ્લુ નામ સુંદરનું છે. જો આ સત્ય હોય તે સુંદરદાસ અકબરના સમયને અમીર ગણાય. બ્લેકમેનના ભાષાંત્તર પૃ. પર૬ માં ૪૧૪ મું નામ સુંદરનું છે પણ તેને એરિસ્સાના જમીનદાર કહ્યો છે. એટલે આ અંગે ચોકસાઇ કરવી ઘટે છે, કેમ કે બદાયુની કૃત ‘મનતુખેમુત્તવારીખ’માં પત્રદાસ વિક્રમાજીતનું નામ છે, પણ સુંદરદાસનું નામ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68