________________
રાજકીય તવારીખમાં
[ ૩૩
આ રીતે ગૂર્જરદેશાધ્યક્ષ, કાંગરાવિજેતા સુંદરદાસ અચાનક યુદ્ધભૂમિ ઉપર ઢળી પડ્યો. તેની વિદાયથી વિદ્રોહી સેનાના આત્મા વિલાઇ ગયેા, બળવાની યાજનાને આધારસ્તંભ તૂટી ગયો. તેના જવાથી શાહજહાંનુ ધ્યેય ઝૂંટવાઇ ગયું હોય એમ તેણે બચવા માટે નાસભાગ શરૂ કરી.
ગુજરાતમાં પલટા
શાહજહાં અજમેરમાં લૂંટ ચલાવતા માંડૂ પહોંચ્યા. ત્યાંથી તેણે અબ્દુલ્લાખાનને ગુજરાતના સૂત્રેા નિયુક્ત કર્યો. સુંદરદાસ વિદ્રોહી સેનાની આગેવાની લેવા ગુજરાતમાંથી વિદાય થયેલા ત્યારે તેણે પેાતાના ભાઈ કુંવરદાસને પેાતાના સ્થાને નીમેલા.^ હવે અબ્દુલ્લાખાનની નિમણૂક થતાં, કુંવરદાસ અને દીવાન સફીને રાજકાષ, રત્નજડિત સિંહાસન અને કમરપટ્ટો લઇ આવવા શાહજહાંએ આજ્ઞા મેાકલાવી. અબ્દુલ્લાખાને વફાદારને પેાતાના પ્રતિનિધિ નીમીતે ગુજરાતમાં મેાકલાવ્યે। અને પેાતે શાહજહાં પાસે માંડૂમાં રહી ગયા.
સફી મુમતાઝમહલની નાની બહેનને પરણ્યા હોઇને શાહજહાંએ ધારેલું કે તે પેાતાને પક્ષે રહેશે, પરંતુ શાહજહાંના નસીબ આડે પાંદ ુ હતુ. સફીના ભડકાવવાથી ગુજરાતના અમીરા શાહજહાંને પક્ષ લેતા અચકાયા આમ પણ બિલૂચપુરની હાર પછી
Δ Sundar's brother Kunhar was appointed in his room. When Sundar was killed, and Bi-daulat retreated after his defeat to Mandu, the Province of Gujarat was put in the charge of Lanatu-llah as his fief, and Kunhar was sent for along with Safi Khan, the Diwan.” (Memoirs, Vol. II, P. 262, )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
66
www.umaragyanbhandar.com