Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 12
________________ પ્રાકથન ઉજાણી કરવા ગયેલા ત્યારે ત્યાં કૂવાના થાળામાં જડેલે આરસના એક પાળિયે તેમના જેવામાં આવ્યો સોનપાલના જ્યેષ્ઠ પુત્ર રૂપચંદની પાછળ તેની ત્રણે પત્નીઓ સતી થયેલી તેના સ્મારક રૂપે એ પાળિયા નિર્માણ પામ્યા હતા. તેની વચ્ચે ચારેયની કલાત્મક મૂર્તિઓ છે, અને કરતે હાંસિયામાં ઉત્કીર્ણ લેખ છે. “કુરપાલ સેનપાલ સંબંધી કેટલીક હકીકત અને અમદાવાદમાં દૂધેશ્વર આગળથી જડેલે લેખ” નામે વિદ્વત્તાપૂર્ણ લેખ “જૈન સાહિત્ય સંશોધક” (ખંડ ૩, અંક ૪,)માં પ્રકાશિત કરીને રત્નમણિરાવે આનુષંગિક અનેક જાણકારીઓ રજૂ કરી. કુરપાલ સોનપાલ એ જ કુંવરદાસ સુંદરદાસ હતા એવી સંભાવના પણ તેમણે સૌ પ્રથમ વ્યક્ત કરી. તેના સમર્થનમાં કેટલીક તર્કબદ્ધ દલીલ કરી અને સાથે સાથે વાંધાઓ પણ રજૂ કર્યા, જે અત્યંત રસપ્રદ છે. એ પછી વર્ષો બાદ પ્રકટ થયેલા “ગૂજરાતનું પાટનગરઃ અમદાવાદ” નામક ગ્રન્થમાં પણ તેમણે પોતાના એ મતને દેહરાવ્યા. ગૂજરાતને સાંસ્કૃતિક ઈતિહાસ” (ખંડ ૪ થો)માં રત્નમણિરાવ પ્રસ્તુત વિષયમાં પોતાનો આખરી નિર્ણય જણાવશે એ આપેક્ષિત હતું. પરંતુ દુર્ભાગ્યે જહાંગીરના રાજયકાળ ઉપર તેઓ લખવાનું હાથ ધરે એ અરસામાં જ તેમનું નિધન થઈ ગયું અને તેમના દ્વારા વિશેષ પ્રકાશ પાડવાનું કાર્ય બાકી રહી ગયું. તેમના અવશિષ્ટ કાર્ય અંગે ગુજરાતના સમર્થ વિદ્વાન શ્રી કે. કાશાસ્ત્રીએ ઉક્ત અપૂર્ણ ખંડને અંતે સેંધ્યું કે “કઈ સમાનધર્મા જાગે ને આ પૂર્ણ કરે એ ભાવના.” પરંતુ તે સાકાર ન થાય ત્યાં સુધી તો આ સમગ્ર બાબત જેમની તેમ રહે છે. પ્રસ્તુત સંદર્ભમાં જે કાંઈ ઉપયોગી હતું તે મેં અહીં રજૂ કરી દીધું છે. આ વિષયને હું ન્યાય આપી શક્યો છું કે નહિ તેને નિર્ણય વાચકે ઉપર છોડું છું. પરંતુ એટલું તે જણાવી દઉં કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68