________________
ઉક્ત વંશ-ક્રમાંક સંબંધિત ટિપ્પણ:
ઉપર્યુક્ત વંશજોએ વિવિધ ક્ષેત્રે નામના મેળવી છે, પરંતુ તેમના વિશે સંક્ષિપ્ત નિર્દેશ કરીને જ અહીં સંતોષ લે ઘટે છે. રાજકીય ક્ષેત્રે તેમણે કેવી ઉન્નત સેવા બજાવી છે તે પ્રસ્તુત સંદર્ભમાં ખાસ ઉપયોગી બને છે – (૧) તેઓ મૂળ દેવડા-ચૌહાણ-વંશીય, મહા–નાગોરના રાજવી
હતા એમ ભગ્રન્થોમાંથી ઉલ્લેખ મળે છે. (૨) તેમની શુરવીરતાના ઉપલક્ષમાં અરબસ્તાનના રાજાએ “રાવ
રાજા'નું બિરુદ આપીને તેમને અજમેર(અજમેર)ની સૂબેદારી આપી. તેમણે અજમેર શહેર વસાવ્યું. વિ. સં. ૭૧૦ માં રૂપલ્લીગચ્છના આચાર્ય શ્રી રવિપ્રભસૂરિના ઉપદેશથી તેઓ જિનધર્માનુયાયી થયા એ વિશે પુસ્તકમાં ઉલ્લેખ થઈ
ગયો છે. (૩) તેમનાથી લઢાવંશ ચાલ્યું. મહમ્મદ-બિન-કાસિમના આક
મણને તેમણે શૂરવીરતાપૂર્વક મારી હઠાવ્યું. તેમને પણ અજમેરની સૂબેદારી મળી. એમનાં પરાક્રમે વિશે પ્રાચીન
પ્રમાણે દ્વારા અનેક બાબતે જાણી શકાય છે. (૧૨) તેમણે દિલ્હને રાજા-કિલ્લો બંધાવ્યો. (૨૯) તેમણે બીકાનેર પાસે લઢવટ વસાવીને ત્યાં શ્રી આદિનાથ
જિનાલય બંધાવ્યું. (૪૩) તેમના બંધુ રિખવદાસના પુત્ર ધજમલ દ્વારા નિર્મિત ધજ
મહેલ આજે પણ નાગોમાં વિદ્યમાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com