________________
૧૦ ]
પ્રાકૂકથન
રત્નમણિરાવની દલીલને ઘેર લંબાવવા સિવાય મેં અહીં કશું જ વિશેષ કયું નથી. અમારે મત સ્વીકારાય જ એવો આગ્રહ પણ નથી સે.
આ પુસ્તકને શ્રી કે. કા. શાસ્ત્રી જેવા વિદ્વાનનું આમુખ સાંપડ્યું છે તેને હું મારું સદ્ભાગ્ય સમજુ છું. ગુજરાતના વડીલ ઇતિહાસકાર શ્રી કેશવલાલ હિંમતરામ કામદારે પણ તેમના વિસ્તૃત વકતવ્યમાં મારા પ્રયાસની મુક્તકંઠે પ્રશંસા કરીને મને ઘણે પ્રોત્સાહિત કર્યો છે. આ બન્ને સાક્ષરે હું જેટલું આભાર માનું તેટલે ઓછો છે. મારા મિત્ર શ્રી કરમશી જે. લેડાયા અને શ્રી વિરચંદ કે. ધરમશીએ મને ઉપયોગી સામગ્રી પાઠવીને આ પુસ્તકને પ્રમાણભૂત કરવા માટે જે સહાય કરી છે તે માટે તેમનો આભાર ન માનું તે હું નગુણે જ કહેવાઉં.
અંતમાં કોઈ ઇતિહાસજ્ઞ આ બહુચર્ચિત વિષય સંબંધમાં વિશેષ સબળ પ્રમાણે શોધી કાઢવા અથવા તે કઈ સર્વગ્રાહી ઉકેલ સૂચવવા જે પ્રેરાશે તો હું મારો બધે શ્રમ સાર્થક થયો ગણીશ.
રાજકોટ તા. ૨૬-૧૦-૭૧
– પાઈ છે.
|
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com