SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકથન ભારતના મેગલકાલીન ઇતિહાસમાં અપૂર્વ કાતિ પામેલા કુંવરદાસ અને સુંદરદાસ નામના બન્ને ભાઈઓ એજ જૈન-સાહિત્યમાં વણુયેલા સંઘપતિ બાંધવો કુરપાલ અને સેનપાલ હતા કે કેમ ? એ મહત્ત્વપૂર્ણ બાબતની સપ્રમાણ વિચારણા કરવાને મેં અહીં અલ્પ પ્રયાસ કર્યો છે. સુંદરદાસની રાજકીય કારકિર્દી તો એ સમયે પુર બહાર ખોલી હતી, અને ખુદ સમ્રાટ જહાંગીરે તેના આત્મવૃત્તાંતમાં એ સંબંધમાં ઘણું ઘણું વિવરણ કર્યું છે. તેની વફાદારી ઉપર પ્રશંસાનાં પુષ્પો વેર્યા છે, અને તેના વિદ્રોહથી છંછેડાઈને તેને ખૂબ આકરા શબ્દોમાં ભાંડ્યો પણ છે. તે દ્વારા આ વિષયની ગંભીરતા અને મહત્તા પ્રતીત થઈ શકશે. પરંતુ ખેદની બાબત એ છે કે ઇતિહાસનું ધ્યાન આ પ્રશ્ન આકૃષ્ટ થયું હોવા છતાં આ સંબંધમાં અન્વેષણ કરવાની કેઈએ તસ્દી લીધી જણાતી નથી. જૈન સાહિત્યમાં પણ કુરપાલ અને સોનપાલના ઉન્નત રાજકીય સ્થાનને સૂચિત કરતાં પર્યાપ્ત પ્રમાણે ઉપલબ્ધ થતાં હોવા છતાં જૈનસંઘ પણ પોતાની આવી વિરલ પ્રતિભાના ભારતવ્યાપી રાજકીય સ્થાનને પીબનવાનું ગૌરવ સમજી શક્યો નહિ એ શું એ આશ્ચર્યની વાત છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035279
Book TitleSundardas Raja Vikramajin Kon Hato
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1971
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy