Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ ખેડૂતના પુરુષાર્થી પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ કોણે સાંભળ્યું નહીં હોય? ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ને યાદગાર દિવસે આપણો દેશ આઝાદ થયો. સરદારશ્રી ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને નાયબ વડા પ્રધાન બન્યા હતા. સામાન્ય ગરીબ કુટુંબમાં સરદારશ્રીનો જન્મ થયો હતો. પિતા ખેડૂત હતા. ઘરમાં કોઈ ભણેલું પણ નહીં. એવા ગામડાગામના એક ખેડૂતના પુત્ર આખા દેશમાં સરદાર તરીકે જાણીતા થયા અને સ્વતંત્ર ભારત દેશના ગૃહપ્રધાન તથા નાયબ વડા પ્રધાન બન્યા હતા, એ આખી ગૌરવગાથા આપણને પ્રેરણા આપે એવી છે. ઘરમાં ગરીબાઈ કેવી હતી એનું વર્ણન સરદારશ્રીના મુખે જ સાંભળીએ : “હું નડિયાદમાં જ્યારે મોસાળમાં રહેતો, ત્યારે કોઈ વાર કરમસદ જાઉં, ત્યારે મારાં દાદીમા મને રેલવે ક્રોસિંગ સુધી મૂકવા આવતાં. નડિયાદથી આણંદ રેલવે હતી. પણ કરમસદ જવામાં અમે કદી રેલગાડીનો ઉપયોગ ન કરતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 66