Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 44
________________ તૈયારી કરવા માંડી. આનું પરિણામ પણ ઘણું સારું આવ્યું. સાધારણ રીતે ત્રણ વર્ષે બૅરિસ્ટર થવાય. પરંતુ જો કોઈ વિદ્યાર્થીને છ ટર્મ (દરેક ટર્મ ત્રણ માસની ગણાય) પૂરી કર્યા પછી દોઢ વરસ બાદ પરીક્ષા આપવી હોય, તો તે આપી શકે. આ પૂરી પરીક્ષામાં જે ઑનર્સમાં પાસ થાય, તેને બે ટર્મ એટલે છ માસની માફી મળે. સરદાર એ રીતે દોઢ વર્ષ પછી પરીક્ષામાં બેઠા અને પહેલા વર્ગ નર્સમાં પ્રથમ નંબરે પાસ થયા. તેમને પચાસ પાઉડનું ઇનામ પણ મળ્યું. આમ, આખી પરીક્ષા ખૂબ માનભેર પસાર કરી અને છ મહિનાની માફી મેળવી. પછી જ્યારે પદવીદાન સમારંભ પૂરો થયો, ત્યારે સરદાર પ્રથમ નંબરે માનભેર પાસ થયેલા હોવાથી એમને જમવાનાં આમંત્રણ ઉપરાઉપરી મળવા લાગ્યાં. પરંતુ બીજે જ દિવસે ત્યાંથી ઊપડી જવા માટે સ્ટીમરની ટિકિટ લઈ રાખી છે એમ જણાવીને, સરદાર જમવાના નિમંત્રણનો અસ્વીકાર કરવા લાગ્યા. આવી ઉતાવળ કરવાનું કારણ કોઈ પૂછે, તો કારણમાં માવિહોણાં બે નાનાં છોકરાંને અઢી વર્ષ થયાં ઘેર મૂકીને આવ્યો છું, એમ સરદાર કહેતા. પછી પોતાની ગોઠવાગ મુજબ બીજે જ દિવસે સરદારે ઇંગ્લંડનો કિનારો છોડ્યો. ૪૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66