Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 46
________________ ભરેલી દઢતા, દેખાવ કડક અને સામા માણસને પોતાની આમન્યા રાખવાની ફરજ પાડે એવો–આવા આ નવા બૅરિસ્ટર અમદાવાદમાં વકીલાત કરવા આવ્યા. ‘તે વખતે અમદાવાદમાં છસાત બૅરિસ્ટર હતા. તેમાં વધારે પ્રેક્ટિસવાળા તો બે કે ત્રણ જ હતા. સ્વાભાવિક રીતે જ નવા અને જુવાનિયા વકીલોનું આ નવજવાન બૅરિસ્ટર પ્રત્યે ધ્યાન ખેંચાયું. એમના વ્યક્તિત્વમાં અને વર્તનમાં જ અમુક વિશિષ્ટતા હતી. કાંઈક આકર્ષણ, કાંઈક માન, કાંઈક અંજાઈ જવું અને બીજાઓ પ્રત્યે તેઓ જે રીતે જોતા તેને લીધે કદાચ કાંઈક રોષ પણ–એવી મિશ્ર લાગણીઓથી વકીલમંડળમાં તેમનો સત્કાર થયો.' સરદારની પ્રેક્ટિસ મોટે ભાગે ફોજદારી બાજુની હતી. સાક્ષીઓની ઊલટતપાસ ટૂંકી પણ મુદ્દાસરની રહેતી. જોતાંવેત જ સાક્ષી કેવા પ્રકારનો છે એ તેઓ કળી જતા અને ઊલટતપાસમાં એ રીતે પોતાનો મારો ચલાવતા. - કોર્ટ સાથેનો સરદારનો વ્યવહાર સંપૂર્ણ નીડરતાનો રહેતો. અંગ્રેજ જજને પણ જો કશી ભૂલ કરતો કે પોતાના અંગ્રેજપણાનો મિજાજ બતાવતો જુએ, તો સરદાર તે સાંખી લેતા નહીં. અને જે હોય તે તડ અને ફડ કહી દેતા. કોઈ જજના તોરીપણાની કે તરંગીપણાની ટીકા કરવાથી અથવા તે ઉઘાડી પાડવાથી તે જજ આગળની ૪૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66