Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 55
________________ સરદારશ્રીના હૃદયના દુખનો પાર નહોતો. પરંતુ તેમણે પોતાની અનોખી રીતે બધાને આશ્વાસન આપતાં કહ્યું: જિંદગીભર મુલકની એકતા માટે હું પ્રયત્નશીલ રહ્યો છું. તમારા કોઈનાય કરતાં આ ભાગલાના ઠરાવથી મને ઓછું દુ:ખ નથી થતું. ‘પણ મારા મનમાં વસી ગયું છે કે, આ ઠરાવ સ્વીકાર્યા સિવાય બીજો રસ્તો નથી. દેશના ભાગલા પાડવાના ભોગે પણ અંગ્રેજ સરકારને અહીંથી વિદાય કરવામાં ડહાપણ છે. ‘ભવિષ્યની મોટી બૂરાઈને અટકાવવા ખાતર આ બૂરાઈને સ્વીકારીને પણ અંગ્રેજ પાપને અહીંથી વિદાય કરવામાં ડહાપણ છે. ‘એ દષ્ટિએ હું કકળાટ કરતા મિત્રોને આ કડવો ઘૂંટડો પીવાને વીનવું છું.” ત્યાર પછી પંદરમી ઑગસ્ટ, ૧૯૪૭ને રોજ ભારત સ્વતંત્ર જાહેર થયું, પાકિસ્તાન સ્થપાયેલું જાહેર થયું, અને અંગ્રેજ સત્તાએ આ ભૂમિ પરથી વિદાય લીધી. પરંતુ એ મુક્તિદિનનો આનંદ માણવાનું ભારતવાસીઓના ભાગ્યમાં લખાયું નહોતું! | હિંદુ અને મુસલમાન કેટલાય વર્ષોથી ભાઈ-ભાઈ તરીકે, એક પ્રજા તરીકે અને શાંત પડોશી તરીકે હળીમળીને રહેતા હતા. તેઓના દિલમાં શેતાને વાસ કર્યો અને કોમી રમખાણનું ગાંડપણ બધે ફેલાઈ ગયું! નિર્દોષ સ્ત્રીઓ અને બાળકોના લોહીથી ભૂમિ તરબોળ ૫૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66