Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 43
________________ એ જમાનામાં હિંદુસ્તાનમાંથી ઘણું કરીને શ્રીમંતોના છોકરાઓ જ બૅરિસ્ટરી માટે વિલાયત જતા હતા. ઇંગ્લેંડ જઈને કરકસરથી રહીને અભ્યાસ કરનારા હિંદી વિદ્યાર્થીઓ ઘણા જ ઓછા હતા. આવા વિદ્યાર્થીઓમાંના એક સરદાર હતા. બીજા ઘણાખરા વિદ્યાર્થીઓની માફક મોજમજા કરવાની તેમની વૃત્તિ નહોતી. સાદી રહેણીકરણી, સાદો પોશાક અને નિયમિત ખાવુંપીવું એટલી વાતથી તેમને સમાધાન મળી રહેતું. વિલાયત જવાનો મુખ્ય હેતુ સરદારે પોતાની નજર સામે રાખ્યો હતો. તે એ કે બૅરિસ્ટર થવું. તેથી બૅરિસ્ટર માટેની પરીક્ષાનો ઉત્તમ રીતે અભ્યાસ કરવો અને તેમાં અડચણરૂપ થાય એવી બધી બાબતોથી સાવધપાશે દૂર રહેવું, એ રીતે સરદારે પોતાનો જીવનવ્યવહાર ગોઠવ્યો હતો. પુખ્ત ઉમરે અને જીવનનો અનુભવ લઈને સરદાર વિલાયત ગયા હતા. તેથી આપણા કેટલાક જુવાનોની જે દશા થાય છે તેવી થવાનો સરદારને ભય નહોતો. અહીં હાઈસ્કૂલમાં વિદ્યાર્થી હતા ત્યારે સરદાર જેટલા તોફાની હતા, તેટલા જ સ્થિર અને એકાગ્રતાવાળા વિલાયતમાં તેઓ થયા. એમને તો બૅરિસ્ટર થઈને વહેલા પાછા આવવું હતું. એટલે વિલાયતમાં બીજી કશી પ્રવૃત્તિમાં માથું માર્યા વિના એકાગ્ર ચિત્ત પરીક્ષાની જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66