SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ એ જમાનામાં હિંદુસ્તાનમાંથી ઘણું કરીને શ્રીમંતોના છોકરાઓ જ બૅરિસ્ટરી માટે વિલાયત જતા હતા. ઇંગ્લેંડ જઈને કરકસરથી રહીને અભ્યાસ કરનારા હિંદી વિદ્યાર્થીઓ ઘણા જ ઓછા હતા. આવા વિદ્યાર્થીઓમાંના એક સરદાર હતા. બીજા ઘણાખરા વિદ્યાર્થીઓની માફક મોજમજા કરવાની તેમની વૃત્તિ નહોતી. સાદી રહેણીકરણી, સાદો પોશાક અને નિયમિત ખાવુંપીવું એટલી વાતથી તેમને સમાધાન મળી રહેતું. વિલાયત જવાનો મુખ્ય હેતુ સરદારે પોતાની નજર સામે રાખ્યો હતો. તે એ કે બૅરિસ્ટર થવું. તેથી બૅરિસ્ટર માટેની પરીક્ષાનો ઉત્તમ રીતે અભ્યાસ કરવો અને તેમાં અડચણરૂપ થાય એવી બધી બાબતોથી સાવધપાશે દૂર રહેવું, એ રીતે સરદારે પોતાનો જીવનવ્યવહાર ગોઠવ્યો હતો. પુખ્ત ઉમરે અને જીવનનો અનુભવ લઈને સરદાર વિલાયત ગયા હતા. તેથી આપણા કેટલાક જુવાનોની જે દશા થાય છે તેવી થવાનો સરદારને ભય નહોતો. અહીં હાઈસ્કૂલમાં વિદ્યાર્થી હતા ત્યારે સરદાર જેટલા તોફાની હતા, તેટલા જ સ્થિર અને એકાગ્રતાવાળા વિલાયતમાં તેઓ થયા. એમને તો બૅરિસ્ટર થઈને વહેલા પાછા આવવું હતું. એટલે વિલાયતમાં બીજી કશી પ્રવૃત્તિમાં માથું માર્યા વિના એકાગ્ર ચિત્ત પરીક્ષાની જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005658
Book TitleSardar Shreenu Jivan Karya
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy