________________
ખટપટ થયેલી. સરદારને આ વાતની ખબર પડી. પોતે બોરસદમાં હોય તો વિઠ્ઠલભાઈને મદદરૂપ થવાય એ હેતુથી સરદારે પોતાનો મુકામ એકદમ બોરસદ ફેરવ્યો.
બોરસદમાં સરદાર જુદું મકાન રાખીને રહેવા લાગ્યા. બહારનો બધો દેખાવ અને વહેવાર એવો રાખતા કે બધા સરકારી અમલદારો એમ માનવા લાગ્યા કે આ બે સગા ભાઈઓને બનતું જ નથી. -
કોઈ કોઈ કેસમાં તો બેઉ ભાઈઓ સામસામા ઊભા રહેતા, ત્યારે લોકોને ખૂબ રસ પડતો. સરદારે થોડા જ વખતમાં સઘળા અમલદારો પર સારો પ્રભાવ પાડ્યો.
સરદાર પાસેના એક કેસમાં એક મામલતદાર બરાબર ભેરવાયો હતો અને રેસિડેન્ટ મૅજિસ્ટ્રેટ એનો મિત્ર હોઈ એને બચાવવા ઇચ્છતો હતો.
એટલે એ અમલદારને સરદારને શરણે ગયા વિના છૂટકો નહોતો.
પરંતુ સરદારે એ લોકોને સકંજામાં બરોબર સપડાવવા માટે પોતે આ કેસ હાથમાં લઈ શકે એમ નથી એવું જગાવ્યું.
એટલે એ અમલદારોને વિઠ્ઠલભાઈની મદદ લેવી પડી. વિઠ્ઠલભાઈ પણ સરદારની તરકીબ સમજી ગયા હતા. એટલે તેમણે એ લોકોની વાત અંગે વિચારવા વલ્લભભાઈ પર ભલામણ કરી આપી.
૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org