Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 39
________________ સરદાર બોરસદમાં વકીલાત કરતા હતા, ત્યારે મણિબહેનનો જન્મ ૧૯૦૪ના એપ્રિલ માસમાં અને ડાહ્યાભાઈનો જન્મ ૧૯૦૫ના નવેમ્બરમાં થયેલો. બંને એમના મોસાળ ગાનામાં જન્મેલાં. ૯ કૌટુંબિક આફત વિઠ્ઠલભાઈ ૧૯૦૮ના મધ્યમાં બૅરિસ્ટર થઈ પાછા દેશમાં આવ્યા. તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી. એવામાં ઝવેરબા માંદા પડ્યાં. તેમને આંતરડાનો વ્યાધિ હતો. એટલે વિઠ્ઠલભાઈ ૧૯૦૮ની આખરમાં તેમને ઉપચાર કરવા મુંબઈ લઈ ગયા. ઝવેરબાને ઑપરેશન કરવાની જરૂર જણાતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યાં. તે વખતે સરદાર મુંબઈ ગયેલા. પરંતુ હૉસ્પિટલના દાક્તરે જણાવ્યું : ‘બીજી રીતે તબિયત કાંઈક સુધરે, એટલે પંદરેક દિવસ પછી ઑપરેશન કરી શકાશે.’ . તે દિવસોમાં સરદારના હાથમાં એક ખૂનનો અગત્યનો કેસ હતો. એટલે તેમણે દાક્તરને કહ્યું, ‘ઑપરેશન કરવાનું નક્કી થાય ત્યારે મને બોલાવજો.’ એમ કહીને સરદાર આણંદ ગયા. ૩૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66