SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સરદાર બોરસદમાં વકીલાત કરતા હતા, ત્યારે મણિબહેનનો જન્મ ૧૯૦૪ના એપ્રિલ માસમાં અને ડાહ્યાભાઈનો જન્મ ૧૯૦૫ના નવેમ્બરમાં થયેલો. બંને એમના મોસાળ ગાનામાં જન્મેલાં. ૯ કૌટુંબિક આફત વિઠ્ઠલભાઈ ૧૯૦૮ના મધ્યમાં બૅરિસ્ટર થઈ પાછા દેશમાં આવ્યા. તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી. એવામાં ઝવેરબા માંદા પડ્યાં. તેમને આંતરડાનો વ્યાધિ હતો. એટલે વિઠ્ઠલભાઈ ૧૯૦૮ની આખરમાં તેમને ઉપચાર કરવા મુંબઈ લઈ ગયા. ઝવેરબાને ઑપરેશન કરવાની જરૂર જણાતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યાં. તે વખતે સરદાર મુંબઈ ગયેલા. પરંતુ હૉસ્પિટલના દાક્તરે જણાવ્યું : ‘બીજી રીતે તબિયત કાંઈક સુધરે, એટલે પંદરેક દિવસ પછી ઑપરેશન કરી શકાશે.’ . તે દિવસોમાં સરદારના હાથમાં એક ખૂનનો અગત્યનો કેસ હતો. એટલે તેમણે દાક્તરને કહ્યું, ‘ઑપરેશન કરવાનું નક્કી થાય ત્યારે મને બોલાવજો.’ એમ કહીને સરદાર આણંદ ગયા. ૩૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005658
Book TitleSardar Shreenu Jivan Karya
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy