Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 34
________________ એટલે એ અમલદારોને પાછા વલ્લભભાઈની પાસે જવું પડ્યું. સરદારે આ તકનો લાભ લઈને, વિઠ્ઠલભાઈની વિરુદ્ધ અમલદારો જે ખટપટ અને કાવતરાં કરતા હતા, એ બધી વાત એ લોકોની આગળ ખુલ્લી કરી અને વિઠ્ઠલભાઈનો વિરોધ ન કરવાનું અમલદારોને સમજાવ્યું. આમ વિઠ્ઠલભાઈ અને અમલદારો વચ્ચે મિત્રાચારી કરાવી. સાથે સાથે મામલતદાર ઉપર ઘેરાયેલું વાદળ પણ દૂર કરાવ્યું. બોરસદમાં થોડા જ વખતમાં વકીલાતમાં સરદારની પ્રતિષ્ઠા ખૂબ જામી ગઈ અને કમાણી પણ સારી થવા માંડી. થોડા જ વખતમાં સરદારની હાક વાગતી થઈ ગઈ હતી. ઘણાખરા ફોજદારી વકીલો મૅજિસ્ટ્રેટનો મિજાજ સાચવીને તથા પોલીસ અધિકારીઓ સાથે દોસ્તી રાખીને પોતાનું કામ ચલાવતા હોય છે. પરંતુ સરદારની એ રીત નહોતી. મૅજિસ્ટ્રેટની કે પોલીસ અધિકારીઓની રજ પણ મુરબ્રત સરદાર રાખતા નહીં. પોતાના કેસની ઝીણામાં ઝીણી વિગતનો પાકો અભ્યાસ કરી, ફરિયાદ પક્ષના નબળા મુદ્દા શોધી કાઢી તેને ઉઘાડા પાડવામાં તથા ફરિયાદ પક્ષે ઊભા કરેલા સાક્ષીઓને ઊલટતપાસમાં તોડી પાડવામાં સરદારની ખૂબી રહેતી. ૩૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66