SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે એ અમલદારોને પાછા વલ્લભભાઈની પાસે જવું પડ્યું. સરદારે આ તકનો લાભ લઈને, વિઠ્ઠલભાઈની વિરુદ્ધ અમલદારો જે ખટપટ અને કાવતરાં કરતા હતા, એ બધી વાત એ લોકોની આગળ ખુલ્લી કરી અને વિઠ્ઠલભાઈનો વિરોધ ન કરવાનું અમલદારોને સમજાવ્યું. આમ વિઠ્ઠલભાઈ અને અમલદારો વચ્ચે મિત્રાચારી કરાવી. સાથે સાથે મામલતદાર ઉપર ઘેરાયેલું વાદળ પણ દૂર કરાવ્યું. બોરસદમાં થોડા જ વખતમાં વકીલાતમાં સરદારની પ્રતિષ્ઠા ખૂબ જામી ગઈ અને કમાણી પણ સારી થવા માંડી. થોડા જ વખતમાં સરદારની હાક વાગતી થઈ ગઈ હતી. ઘણાખરા ફોજદારી વકીલો મૅજિસ્ટ્રેટનો મિજાજ સાચવીને તથા પોલીસ અધિકારીઓ સાથે દોસ્તી રાખીને પોતાનું કામ ચલાવતા હોય છે. પરંતુ સરદારની એ રીત નહોતી. મૅજિસ્ટ્રેટની કે પોલીસ અધિકારીઓની રજ પણ મુરબ્રત સરદાર રાખતા નહીં. પોતાના કેસની ઝીણામાં ઝીણી વિગતનો પાકો અભ્યાસ કરી, ફરિયાદ પક્ષના નબળા મુદ્દા શોધી કાઢી તેને ઉઘાડા પાડવામાં તથા ફરિયાદ પક્ષે ઊભા કરેલા સાક્ષીઓને ઊલટતપાસમાં તોડી પાડવામાં સરદારની ખૂબી રહેતી. ૩૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005658
Book TitleSardar Shreenu Jivan Karya
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy