Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 18
________________ વિદ્યાર્થીઓના સરદાર બન્યા માનવી જેવો પુરુષાર્થ કરે તેવું પોતાનું જીવન ઘડી શકે છે. એ સૂત્ર અનુસાર સરદાર નાનપણથી જ ઊર્ધ્વગામી, સાહસિક, નીડર, કાર્યકુશળ અને સહનશીલ હતા. ગુજરાતી નિશાળમાં પણ પોતાના સહાધ્યાયીઓ અને સાથીઓની ટુકડીના સરદાર તેઓ જ હોય. પછી નડિયાદ હાઈસ્કૂલમાં સરદાર ભણવા ગયા. ત્યાં તેમનું વ્યક્તિત્વ ઠીક ઠીક ખીલ્યું. સ્વતંત્ર સ્વભાવ, મનના મોજી, થોડું છતાં અર્થગંભીર બોલવું, કોઈનાથીયે કશું છુપાવવું નહીં, અન્યાયનો બેધડક સામનો કરવો અને પરિણામની પરવા કર્યા વિના હાથમાં લીધેલું કામ પૂરું કરવું–આ બધી શક્તિ તેમનામાં હતી એનાં પ્રથમ દર્શન તેમની સાથે ભણતા, રમતા, રહેતા સાથીઓને થયાં. નડિયાદની હાઈસ્કૂલમાં સરદાર વિદ્યાર્થીઓના ખરેખર સરદાર જ બનેલા. એક દિવસ વર્ગનો સમય થઈ ગયો હતો. પરંતુ શિક્ષક શિક્ષક-ખંડમાં વાતોના ટપે ચડ્યા હતા. વર્ગમાં વિદ્યાર્થીઓએ પાંચેક મિનિટ રાહ જોઈ. પરંતુ ૧૭ સ.જી.-૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66