Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 20
________________ બીજે દિવસે શાળા શરૂ થઈ. શિક્ષક વર્ગમાં આવીને જુએ, તો વર્ગ ખાલી! બધા વિદ્યાર્થીઓ બહાર હાજર હતા. પરંતુ વલ્લભભાઈને વર્ગમાં દાખલ થવાની રજા ન મળે, ત્યાં સુધી કોઈ વર્ગમાં દાખલ થવા તૈયાર ન હતું. શિક્ષક મૂંઝાયા. તેમણે હેડમાસ્તર આગળ વલ્લભભાઈ સામે ફરિયાદ કરી. હેડમાસ્તરે વલ્લભભાઈને બોલાવ્યા અને શિક્ષકની માફી માગવા કહ્યું. સરદારે દઢતાથી જવાબ આપ્યો : સાહેબ, આ તો ચોર કોટવાલને દંડે એવો ન્યાય થયો! દોષ કર્યો હોય તો માસ્તર સાહેબે કર્યો છે. અમે વિદ્યાર્થીઓએ કશો દોષ કર્યો નથી. વર્ગનો સમય થઈ ગયો હતો, છતાં માસ્તર સાહેબ ઑફિસમાં ગપ્પાં મારતા બેસી રહ્યા. અમે બહુ રાહ જોઈ, પણ તેઓ આવ્યા નહીં. એટલે નાહક તોફાન કરીએ એને બદલે સ્વસ્થ બેસીને અમે ગીત ગાતા હતા. આમાં અમારો શો દોષ?' હેડમાસ્તરને વલ્લભભાઈની વાત બરોબર લાગી. તેમણે બધાને સમજાવીને વર્ગમાં બેસાડ્યા. છઠ્ઠા ધોરણના એક પારસી શિક્ષક બહુ કડક હતા. નેતરની સોટીનો તે ખૂબ છૂટથી ઉપયોગ કરતા. એક દિવસ એ શિક્ષકે એક વિદ્યાર્થીને દંડ કર્યો. આ એ વિદ્યાર્થી દંડ ભરી શક્યો નહીં. એટલે એને વર્ગ ૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66