Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 21
________________ બહાંર કાઢવામાં આવ્યો. વલ્લભભાઈ એ જ વર્ગમાં ભણતા હતા. એમને થયું કે, આનો કંઈ ઇલાજ કરવો જોઈએ. સરદારને રસ્તો કાઢતાં કેટલી વાર ? તેમણે પોતાનો વર્ગ તો તરત જ ખાલી કરાવ્યો. પછી બપોરની રજામાં આખી શાળાના વિદ્યાર્થીઓને એકઠા કરી હડતાળ પડાવી. કોઈ પણ વિદ્યાર્થી શાળામાં ન જાય, એટલા માટે સરદારે ચારે બાજુ બરોબર ચોકી ગોઠવી દીધી. હડતાળ પાડી વિદ્યાર્થીઓ આમતેમ ભટકવા ચાલ્યા જાય કે ઘર ભેગા થઈ જાય, તો હડતાળનું મહત્ત્વ કોઈની નજરે ન ચડે. સરદાર એ જાણતા હતા. એટલે તેમણે વિદ્યાર્થીઓને સમૂહમાં બેસવા માટે ધર્મશાળામાં ગોઠવણ કરી. ત્યાં પીવાના પાણી વગેરેની પણ વ્યવસ્થા રાખી. હડતાળ ત્રણ દિવસ ચાલી. શાળાના હેડમાસ્તરે મામલાની ગંભીરતા જાણી. તેમણે સરદારને બોલાવીને સમજાવ્યા. હવે પછી કોઈ પણ વિદ્યાર્થીને ખોટી રીતે અથવા વધારે પડતી સજા નહીં થાય એની બાંયધરી આપી. એટલે સરદારે સમાધાન કરી હડતાળ પાછી ખેંચી લીધી. એક શિક્ષક પોતાના વર્ગમાં વપરાતી બધી ચોપડીઓનો તથા કાગળ, પેન્સિલ, નોટબુક વગેરે વિદ્યાર્થીઓએ Jain Education International ૨૦ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66