Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 13
________________ તો નવરાશ મળે કે તરત રેંટિયો લઈને લાડબા બેસતાં. સરદારને ચાર ભાઈઓ અને એક બહેન: સોમાભાઈ, નરસિંહભાઈ, વિઠ્ઠલભાઈ, કાશીભાઈ અને ડાહીબા. સરદારને નાની બહેન પર સવિશેષ પ્રેમ હતો. માતાપિતાના ધર્મપરાયણ અને સંયમમય જીવનનો વારસો સરદારને પૂરતા પ્રમાણમાં મળ્યો હતો. સરદાર બ્રહ્મર્ષિ નહીં પણ રાજર્ષિ હતા. સરદારની ધાર્મિકતા, એમનો સંયમ, એમનો ત્યાગ, એમની તિતિક્ષા સાધુસંતોનાં નહીં પણ ક્ષત્રિય વીરનાં હતાં. આગ્રહ, દઢતા, હસતે મોંએ શારીરિક દુ:ખો સહન કરવાની શક્તિ, સંપૂર્ણ નિર્ભયતા–એ બધા મહાયોદ્ધાના ગુણો સરદારમાં જોવા મળે છે તે પિતાના સંયમમય અને આગ્રહી જીવનનો જ વારસો છે. સરદારને સ્વચ્છતા અને સુઘડતાની ટેવ પણ માતાપિતા તરફથી જ વારસામાં મળેલી. ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66